SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ છે? ભગવાન પરમપદ આપનારા છે માટે ગમે છે કે પૈસો આપનારા છે માટે ? તમને શ્રીમંતને જોઈને ભગવાનની કૃપા યાદ આવે કે સાધુ જોઈને ? પાંચે આંગળાં ઘીમાં બોળેલાં છે ભગવાનની કૃપાથી : એવું માનો ને ? સ. એ ભગવાનની કૃપા નહિ? ના, ભગવાનની કૃપા ઝીલતાં આવડી નહિ માટે પાંચે આંગળાં ઘીમાં રહ્યાં. નહિ તો એ સુખને છોડીને નીકળી પડ્યા હોત! પુણ્યથી મળેલું ઓછું લાગે અથવા તો પુણ્યથી મળેલું છોડવાજેવું ન લાગે ત્યાં સુધી ભગવાનની કૃપા ઝીલતાં આવડી નથીએમ સમજવું. ભગવાનની કૃપા ઝીલતાં આવડે તે તો સુખના ઢગલા છોડીને સાધુ થઈ જાય. * પરમાત્માનું બીજું વિશેષણ જણાવ્યું છે - કુદરવનીર : દુઃખરૂપી દાવાનળને શમાવવા માટે ભગવાન નીરસમાન છે. ગમે તેવા દુઃખીનું પણ દુઃખ વિસારે પાડે – એવા આપણા ભગવાન છે. ભગવાનના શરણે જનારને દુ:ખ યાદ જ ન આવે, તેનું દુઃખ ભુલાઈ જાય. ડોક્ટરના શરણે જઈએ એટલે દુઃખ ભૂલી જઈએ ને ? ડોક્ટર જે પીડાકર ચિકિત્સા કરે તે પણ આનંદથી કરાવીએ ને ? તેમ અહીં પણ ભગવાનના શરણે જવાથી દુ:ખનો ભય દૂર થાય, દુઃખ દુઃખરૂપ ન લાગે, દુઃખ વેઠવાનું સત્ત્વ મળે, બધું દુઃખ ભોગવીને પૂરું કરવાની વૃત્તિને લઈને નવું દુ:ખ ઊભું ન થાય અને જૂનું પૂરું થવાથી સર્વદુ:ખોથી રહિત બનાય. દુઃખ દુઃખરૂપ લાગે ત્યાં સુધી ભગવાન ઓળખાયા નથીએમ સમજી લેવું. એક બાજુ દુઃખને દાવાનળ માને અને બીજી બાજુ એ દાવાનળ વધે એવું કરે તો માનવું પડે ને કે દુ:ખ દાવાનળરૂપ લાગ્યું નથી? * ભગવાનના શાસનમાં તીર્થંકર પરમાત્મા જેવું ઊંચું તત્ત્વ બીજું એકે નથી. આથી જ ગ્રંથકારશ્રીએ સૌથી પહેલાં તીર્થંકરપરમાત્માનું સ્વરૂપ જણાવ્યું છે. આજે તમારી અને અમારી મોટી તકલીફ એ છે કે આ સંસારના લોકો પર, ઘરના લોકો પર, આજુ-બાજુના લોકો પર જેટલી શ્રદ્ધા છે તેટલી શ્રદ્ધા ભગવાન ઉપર નથી. આપણે ભક્તિ ભગવાનની કરીએ છીએ પણ વચન તો ઘરના લોકોનું જ માનીએ છીએ ને ? સ. શ્રદ્ધા કોને કહેવાય? મરી જઈએ તોપણ વચન ન ઉત્થાપીએ એનું નામ શ્રદ્ધા. આવી શ્રદ્ધા કયાં છે? ભગવાન પ્રત્યે કે આપણી અનુકૂળતા સાચવનારા લોકો પર ? પત્નીનું કહ્યું માનો, છોકરાનું કહ્યું માનો, શેઠનું કહ્યું માનો. આગળ વધીને કહું તો ઘાટીનું કહ્યું માનો પણ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy