SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યજ્ઞાનથી ચારિત્ર ન મળે તો મળે શું? સમ્યજ્ઞાનથી અવિરતિ જવી જ જોઈએ અને વિરતિ મળવી જ જોઈએ. સમ્યક્તપપદ : * આ જગતની જેટલી જેટલી ચીજ છે તેમાંથી એક પણ ચીજ તારનારી નથી એવું જેને લાગે તે અરિહંતાદિ ચારના શરણે ભાવથી જાય છે. આ દુનિયાની ચીજો પુણ્યના ઉદયથી મળતી હોવાથી ઔદયિકભાવની છે જ્યારે ચાર શરણાં ક્ષયોપશમભાવનાં * આઠ પદ આરાધ્યા પછી પણ તપપદની આરાધના કર્યા વિના મોક્ષ નહિ મળે. ચારિત્ર લીધા પછી પણ ભૂતકાળનાં કર્મો મોક્ષે જતાં અટકાવે. વર્તમાનમાં કર્મ ન બાંધીએ તોપણ ભૂતકાળનાં કર્મો મોક્ષે જવા દેતાં નથી. એ કર્મોને ખપાવવા માટે તપધર્મ છે. પાપથી દુઃખ આવે – એ ગમે ? પાપથી કેવળજ્ઞાન અટકે – એ ગમે ? કે પાપથી મોક્ષ ન મળે – એ ગમે? વાક્યો તો ત્રણે સાચાં છે પણ ગમે છે કર્યું? પાપથી દુઃખ આવે છે - એ જ ગમે ને? જેને પાપથી કેવળજ્ઞાન અટકે છે ને મોક્ષ નથી મળતો : આ ગમે તેને તપ કરવામાં મજા આવે. ઘાતિકર્મની નિર્જરા કરવા માટે તપ છે. આજે અસલમાં પાપથી દુઃખ આવે છે-એ શ્રદ્ધા પણ સાચી નથી. પાપથી દુઃખ આવે છે એવું માનનારો પાપ મજેથી કરે ખરો? આજે પાપથી દુઃખ આવે એમ માનનાર સુખ મેળવવા માટે પાપ મજેથી કરે છે ને? આજે તમને પુણ્ય પણ એટલા માટે જ જોઈએ છે ને? તમને પુણ્ય શેના માટે જોઈએ? પાપ કરવાની અનુકૂળતા મળે એટલા માટે કે દિક્ષા લેવાની અનુકૂળતા મળે એટલા માટે? આજે આપણે સુખની લાલસા જ પુણ્યના નામે પૂરી કરીએ છીએ ને? સુખ કુદરતી જે મળે તે પુણ્યથી મળે. જે સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ તે પાપ કરાવ્યા વગર ન રહે. જે આપણા આત્મા માટે ઉપકારક ન હોય તેનો ત્યાગ કર્યા વિના નહિ ચાલે. આજે પુણ્ય સુખની લાલચથી ગમે છે, માટે તે આપણા માટે હેય છે. એ માટે શાસ્ત્રના પાને પુણ્યની ઉપાદેયતા શોધીને બતાવવાની જરૂર નથી. એ પુણ્યની ઉપાદેયતાની વાત આપણા માટે નથી. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષ સુધી સહાય કરે છે એવું માનનારાએ પુણ્યાનુબંધી પાપને ભૂલવું ન જોઈએ. આજે વીસ કરોડ મુનિ સાથે પાંચ પાંડવો મોક્ષે ગયા તે અણસણ કરીને ગયા ને? અણસણ કરે તો અશાતા ભોગવવા માટે જ કરે ને? અનંતા આત્માઓ દુઃખ વેઠીને મોક્ષે ગયા છે, આપણે પુણ્યાનુબંધી પુણ્ય ભોગવતાં ભોગવતાં મોક્ષે જવું છે ને? પુણ્ય શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International ૨૯૭ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy