SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરવામાં ન આવે તો સમ્યત્વનો દીવો ઓલવાયા વગર નહિ રહે. પુણ્યના ભોગવટાની શ્રદ્ધા ખૂટે તો જ જ્ઞાન પ્રત્યે વિશ્વાસ જાગે. સામગ્રી મળવી એ જુદું અને તરવું એ જુદું. પુણ્ય સામગ્રી આપે પણ તારે તો જ્ઞાન જ. સ. આપ પુણ્ય પર બહુ અણગમો બતાવો છો. કારણ કે સાધુ બનાવવા છે. જેને સાધુ થવું હોય તે પણ પુણ્ય ઉપરથી નજર ખસેડવા મહેનત કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધો: પુખ્યવંધો નેગતો અહીં પુણ્ય ભોગવવાને બદલે પાપ ભોગવી લેવું છે. વર કે ગપ્પા વંતો .. નરકાદિ ગતિમાં જઈને દુઃખ ભોગવવું એના કરતાં અહીં સ્વેચ્છાથી દુ:ખ ભોગવી લેવું છે. અન્ય દર્શનકારો પણ માને છે કે - તમેવ વિદિત્વી ગતિમૃત્યુનેતિ નાન્યઃ પત્થા વિદ્યતે અનાયા તત્ત્વજ્ઞાન વિના મુક્તિ નથી. પુણ્ય માટે ઘણી મહેનત કરી. હવે જ્ઞાન માટે મહેનત કરી લેવી છે. આજના દિવસે નિયમ લેવો છે કે ગાથા કર્યા વગર ભાણે નથી બેસવું. ત્રણ ટાઈમ વાપરે તેણે ત્રણ ગાથા કરવી, બે વખત વાપરતા હોય તેમણે બે ગાથા કરવી અને એક ટાઈમ વાપરતા હોય તે એક ગાથા તો કરે જ. આટલું બનશે ને ? જેટલો ભોગ વધારે તેટલો રોગ વધારે. જેટલો રોગ વધારે તેટલી દવા વધારે લેવી પડે ને ? * તારશે તો જ્ઞાન જ તારશે. કેવળજ્ઞાન થયા પછી પણ પુણ્ય હશે તો દેવતાઓ મહોત્સવ કરવા આવશે. પણ પુણ્ય નહિ હોય તો ય કેવળજ્ઞાનથી મોક્ષ મળ્યા વિના નહિ રહે. મોક્ષમાં જવું નથી માટે પુણ્ય ગમે છે. પુણ્ય ગમે છે એમાં પણ અજ્ઞાન કામ કરે છે. જે વસ્તુ તારતી નથી એ ગમે છે શા માટે ? અજ્ઞાન છે, માટે જ ને? સમ્યક્ષ્યારિત્રપદ : સમ્યજ્ઞાનની ઉપાસના કરનાર મળી આવે પણ એ ઉપાસના ચારિત્ર માટે છેએ યાદ ખરું? જ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિ માટે જ્ઞાન છે. જ્ઞાન વિદ્વાન થવા માટે નથી, ચારિત્રધર બનવા માટે છે. આજે તમારા કે અમારા મગજમાંથી વિરતિનું ધ્યેય લગભગ વીસરાઈ ગયું છે, ગૃહસ્થો પંડિત થવા માટે ભણે છે અને અમે વિદ્વાન થવા માટે ભણીએ છીએ! શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ જ્ઞાનનું ફળ વિરતિ છે એમ કહ્યું છે અને નવપદમાં પણ જ્ઞાનપદ પછી ચારિત્રપદ આપ્યું છે. કારણ કે ચારિત્ર જ્ઞાનનું ફળ છે. ચારિત્રના ધ્યેય વિના ભણે તેને જ્ઞાનાવરણીય બંધાયા વિના ન રહે. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy