SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરના લોકો અનુકૂળતા આપે છે – એવો અધ્યવસાય પડેલો હોવાથી ઘરના લોકોની ઈચ્છા મુજબ જીવવા માટે મન મારીને જીવતાં આવડે પણ ભગવાનની આજ્ઞા મુજબ જીવવા માટે મન મારીને જીવતાં આવડતું નથી ! * રાજાનાં કપડાં પહેરવામાત્રથી રાજા નથી બનાતું તેમ સાધુપણાનાં કપડાં પહેરવામાત્રથી ત્રાતા નથી બનાતું. - * સુયતિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – પ્રતિલેખનાદિ સામાચારી માટે જે ઉદ્યમ કરે તેને સુતિ કહેવાય. આજે અમારા ત્યાં ખરાબમાં ખરાબ કામ પ્રતિલેખનાનું થાય. અમારાં લક્ષણોની ગ્રંથકારને ખબર હોવાથી જ એમણે આવી વ્યાખ્યા કરી લાગે છે. સાધુભગવન્તોના વિશેષણ તરીકે ‘પમજ્જણાસીલો' આવે પણ સ્વાધ્યાયપ્રેમી – આ ન આવે. સામાચારીનો ભંગ કરીને સ્વાધ્યાય ન થાય. ‘રખે ને મારા હાથે કોઈ વિરાધના ન થાય’ આવા પ્રકારનો અધ્યવસાય પ્રતિલેખનામાં સમાયેલો હોય. * પોતાના આચારને બાજુ પર મૂકે એ માર્ગ ન પ્રવર્તાવી શકે. જે કામ જે કાળે વિહિત કર્યું હોય એમાંથી બાદબાકી કરવાનું કામ સાધુભગવન્તો ન કરે. ક્રિયાપાત્ર ન હોય માત્ર જ્ઞાની હોય એ સુયતિ નથી. સ્વાધ્યાયના કારણે પ્રતિલેખના વગેરેની પ્રવૃત્તિમાં બાંધછોડ કરતા હોય તો તેઓ માર્ગરૂપે ગણાતા નથી, અર્થાત્ તેઓ ઉન્માર્ગગામી છે એમ જ કહેવાનું તાત્પર્ય છે. - * બીજા નંબરમાં સુશ્રાવકને માર્ગરૂપે ગણ્યા છે. સુશ્રાવકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – જેઓને માર્ગનું જ્ઞાન પૂરેપૂરું હોય અને માર્ગ પ્રત્યે અવિચલ શ્રદ્ધા હોય તેઓને સુશ્રાવક કહેવાય છે. બીજી રીતે વ્યાખ્યા કરી છે કે - જેઓ નિત્ય સુસાધુઓ પાસે જઈને સાધુની સામાચારી સાંભળે તે સુશ્રાવક. આજે સાંભળવાનું કામ કપરું થઈ પડયું છે. બીજા અનુષ્ઠાનનો ભોગ આપવો પડે તો આપવો પણ જિનવાણી સાંભળ્યા વગર ન રહેવું. જેટલો લાભ ગુરુભગવન્તના મુખે સાંભળવામાં છે એટલો લાભ જાતે વાંચવામાં નથી. ગુરુભગવન્ત પાસે જ્યાં ભાર આપવાનો હોય ત્યાં ભાર આપવાની શતિ પડેલી છે, સામા માણસના હૈયાને વીંધવાની શક્તિ પડેલી છે, પરમાર્થ સુધી પહોંચવાની શતિ પડેલી છે. સ. સાંભળ્યા પછી આચરણમાં ન આવે તો ? આચરણમાં ભલે ન આવે પણ સમજમાં આવે ને ? માબાપ જીવતાં હોય ત્યાં સુધી માબાપની કિંમત ન સમજાય પણ મરી ગયા પછી સમજાય ને ? તેમ ક્યારેક તો શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy