SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી ‘સુખ અનુભવવા નથી મળ્યું અને ધન નથી મળ્યું' એનું દુ:ખ હશે ત્યાં સુધી મિથ્યાત્વ પડયું છે જ. * આંખે ગમે તેટલું સારું દેખાતું હોય પણ જ્ઞાનચક્ષુ ન હોય તો આપણે આંધળા જ છીએ. * જેટલું કામ અશાતાવેદનીયને ખપાવવા માટે કરીએ છીએ તેટલું મિથ્યાત્વમોહનીયને ખપાવવા કરીએ છીએ ખરા ? પારકું સુખ ભોગવવા નથી મળતું એની જેટલી ચિંતા છે એટલી સ્વભાવનું સુખ ભોગવવા નથી મળતું એની છે ખરી ? મિથ્યાત્વને ઉલેચવાનું અને એમાંથી બહાર નીકળવાનું મન ન હોય તેવા વખતે સમ્યગ્દર્શનની વાત કરવી એ કપરાં ચઢાણ ચઢવા જેવું છે. જેને ખાવું જ નથી એવાની આગળ રસોઈ ધરવી એ નકામી જ છે ને ? જેનું ભાન આપણને ન' તું, આપણા જે ગુણોનો પરિચય આપણને ન'તો એવા વખતે મહાપુરુષોએ આપણને એનું ભાન કરાવી આપ્યું તો એ આપણને ગમવું જોઈએ ને ? વિમલનાથ ભગવાનના સ્તવનમાં પૂ. યશોવિ. મ. એ લખ્યું છે ને કે – ‘ભવ અનંતમાં દરિસન દીઠું..... કર્મવિવર ઉઘાડે જી...' અત્યાર સુધી આપનાં દર્શન ન’તાં થયાં હવે આપનું દર્શન થયું, આપે અમારી આંખો આંજીને જ્ઞાન આપ્યું. હવે કરોડો કપટ કરીને કોઈ સમજાવે તોપણ કોઈની વાત હું નહીં માનું.... આ બધું એમણે સ્તવનમાં ગાયું ને ? આપણા શાસ્ત્રકારોની વાત સાંભળ્યા પછી હવે બીજે જવાની જરૂર નથી - એવું તમને લાગ્યું ખરું ? ગુણોનો આવિર્ભાવ કરવાનું સાધન આપણી પાસે હોય છતાં બહાર ભટક્યા કરીએ તો લાગે ને કે – અર્થિપણું નથી ? આવાને અમે આ બધું સમજાવીએ તો લાગે ને કે અમે અવળો પુરુષાર્થ કરીએ છીએ ? - * આપણને આપણું મિથ્યાત્વ ગમે છે એનું કારણ એ છે કે – એ આપણને સુખ ભોગવવા દે છે. સુખ ભોગવવા મળે, દુ:ખ જતું રહે અને પાપ કરતા રહીએ માટે જ મિથ્યાત્વને કાઢવાનું આપણને ગમતું નથી. ગમતી વસ્તુ છોડાવવી એ બહુ કપરું છે. સ. મિથ્યાત્વ કાઢવા કષ્ટ વેઠવું પડે. કાદવ લાગ્યા પછી પગ સાફ કરવો પડે – એના જેવી આ વાત છે. આપણને મિથ્યાત્વ એ કાદવરૂપ લાગ્યો નથી, કસ્તુરીનો લેપ જ લાગે છે ને ? માટે જ કાઢવા માટે મહેનત થતી નથી ને ? આપણને જે જોઈએ છે એ મિથ્યાત્વથી જ મળે છે એવું શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy