SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું જ અહીં ગ્રહણ છે. દ્રવ્યને લઈને આરાધના તેમાં કરાય છે માટે દ્રવ્યસ્તવ કહ્યો છે, બાકી તો ભાવયુક્ત જ છે. ભાવ વગરનું દ્રવ્ય મોક્ષનો માર્ગ ન બની શકે. * દ્રવ્યસ્તવ એટલે દ્રવ્યથી અર્થા દ્રવ્યને આશ્રયીને જે સદનુષ્ઠાન કરાય છે તે. અંત:કરણથી શૂન્યપણે ગોવિન્દવાચકાદિની જેમ જે સદનુષ્ઠાન કરાય તેને દ્રવ્યસ્તવ કહેવાય છે. જૈન દર્શનનું ખંડન કરવાના આશયથી ગોવિન્દવાચકે દીક્ષા લીધી હતી. આ રીતે દીક્ષા પ્રત્યે બહુમાનસ્વરૂપ ભાવ ન હોવાથી માત્ર દ્રવ્યથી જ દીક્ષા લીધી હતી, તે દ્રવ્યદીક્ષા કહેવાય. અને બીજી વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે દ્રવ્ય દ્વારા જિનભવનાદિ કરવા-બંધાવવા તે દ્રવ્યસ્તવ. જેમ ભરત મહારાજાએ અષ્ટાપદગિરિ ઉપર દ્રવ્ય-ધન વડે જિનભવન બનાવરાવ્યું તેમ. પૂજા વગેરે ગૃહસ્થોચિત દરેક અનુષ્ઠાન દ્રવ્યનાં કારણે થતાં હોવાથી તે અનુષ્ઠાનને ‘દ્રવ્યના કારણે થનારું આ વ્યાખ્યાને લઈને દ્રવ્યસ્તવ કહેવાય છે. * આ બે પ્રકારના માર્ગ શિવપુરના સાર્થવાહ એવા સર્વજ્ઞભગવન્તોએ ઉપદેશ્યા છે. સાર્થવાહ તેને કહેવાય કે જે માર્ગ બતાવીને છૂટી ન જાય પરંતુ ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, શરીર, માલસામાન વગેરે બધાની જ ચિંતા કરે. સાથે વહન કરે તે સાર્થવાહ. ભગવાને પણ આપણે મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધીની આહારાદિ બધી જ ચિંતા કરી છે. આપણે ભગવાનની વાત ન માનીએ અને અંધકારમાં અટવાઈએ એ જુદી વાત. બાકી આપણે માર્ગમાં ક્યાંય અટવાઈએ એવું એક પણ વચન ભગવાનનું નથી. આવા સાર્થવાહ સાધુભગવન્તો પણ હોઈ શકે માટે સર્વજ્ઞ પદ મૂક્યું છે. | * મોહના કારણે અટકે છે એવું નથી, મોહ સારો લાગે છે માટે જ અટકે છે. સીતાજી પોતાના કેશનો લોચ પોતાના હાથે કરી રામચંદ્રજીના ખોળામાં ગુચ્છો નાખીને દીક્ષા લેવા નીકળી પડ્યાં ત્યારે સ્નેહના યોગે રામચંદ્રજીને મૂર્છા આવી ગઈ. છતાં પતિ ભાનમાં આવે એની પણ રાહ જોવા રહ્યાં નથી. સીતાજી પર આટલો સ્નેહ હોવા છતાં રામચન્દ્રજી એ જ ભવમાં મોક્ષે ગયા. કારણ કે મોહ ભંડો લાગ્યા પછી તેને દૂર કરતાં વાર નથી લાગતી. * આપણે ધર્મ કરીને દેવલોકમાં જઈએ તે આપણી ભૂલના કારણે અને મોક્ષમાં જઈએ તે ભગવાનની કૃપાના કારણે. * માર્ગ બે પ્રકારનો બતાવ્યો છે તે જીવવિશેષને આશ્રયીને બતાવ્યો છે. દ્રવ્યસ્તવ એ પણ મોક્ષનો જ માર્ગ છે, દેવલોકનો નહિ. મોક્ષમાં જવું નથી, મોક્ષે મોડા ૨૨૬ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy