SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ * માર્ગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે પૃથતે કરી મા પરમસુખના અભિલાષી એવા જીવો વડે જેની અન્વેષણા કરાય છે તેનું નામ માર્ગ. જે શોધાય તે માર્ગ છે. જે મળી જાય તે માર્ગ હોય-એવું નહિ, જે શોધવા જવું પડે એવો માર્ગ હોય. આપણે સુખની શોધમાં નીકળીએ કે મોક્ષની? અથવા તો માર્ગની બીજી વ્યાખ્યા કરે છે કે કર્મમળને દૂર કરવા દ્વારા જેના વડે આત્મા શુદ્ધ (સાફ) કરાય છે તેનું નામ માર્ગ. જેના દ્વારા મોક્ષે પહોંચાય છે તેનું નામ માર્ગ. આશય એ છે કે મોક્ષરૂપ કાર્યની નિષ્પત્તિ માટે કેવળ ભાવનું જ જે આલંબન લેવાય છે તે ભાવમાર્ગ છે. જેમ મરુદેવામાતાને ભાવનું જ આલંબન હતું, તે ભાવપૂર્વકનું દ્રવ્ય અનુષ્ઠાન તેમની પાસે ન હતું. આથી તેમને માટે ભાવસ્વરૂપ જે સ્તવ એવો ભાવસ્તવ મોક્ષનું કારણ બન્યો હતો. તે રીતે તત્ત્વના જાણનું અથવા તો તત્ત્વના અજાણનું ભાવપૂર્વક જે પ્રવર્તન ક્રિયાને વિષે થાય છે તેને પણ ભાવથી સ્તવ સ્વરૂપ ભાવસ્તવ હોય છે. વજસ્વામી મહારાજા વિદિતતત્ત્વ હતા અને માલતુષમુનિ અવિદિતતત્ત્વ હતા. તે બન્નેનું દ્રવ્યક્રિયાને વિષે જે ભાવપૂર્વકનું પ્રવર્તન છે તે ભાવસ્તવસ્વરૂપ હતું. * આજે આપણે પરિણામને વિદાય આપી છે અને પ્રવૃત્તિને વળગી પડ્યા છીએ માટે ભાવસ્તવ પામી શકાતો નથી. ચિત્તની પ્રસન્નતા અને આત્માની નિર્મળતા જેમાં થાય તે અનુષ્ઠાન ભાવતવરૂપ બને. * દ્રવ્યદક્ષાથી જ તરાય, દ્રવ્યદક્ષા વિના ન તરાય આવો પરિણામ તે ભાવ. દ્રવ્યદીક્ષા વિના પણ ચાલે – આ પરિણામ ભાવસ્તવના ઘરનો નથી. * ધર્મતત્ત્વ પછી માર્ગતત્ત્વનું નિરૂપણ કર્યું છે. કારણ કે ધર્મ કરવાનું ગમે તોપણ માર્ગ આરાધવાનું લગભગ ગમતું નથી. ધર્મ માર્ગની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જ તત્ત્વરૂપ બને છે, મોક્ષે પહોંચાડવાનું કામ તો માર્ગ જ કરે છે – એ ભૂલવું નહિ. આજે આપણે ધર્મ કરવા છતાં માર્ગ ન પામી શક્યા હોઈએ તો તેનું કારણ એ જ છે કે આપણે માર્ગને આરાધવા માટે ધર્મ કર્યો જ નથી. જે માર્ગની આરાધના માટે ધર્મ કર્યો હોત તો આપણો ધર્મ આપણને મોક્ષે પહોંચાડ્યા વિના ન રહેત. * ભાવસ્તવની બીજી વ્યાખ્યામાં આપણે બે દષ્ટાંત જોયાં. એક જ્ઞાનીનું અને બીજું અજ્ઞાનીનું. ભાવપૂર્વકની ક્રિયા બંન્ને પાસે હોવા છતાં તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં ફરક હતો. વજસ્વામી મહારાજા વિદિતતત્ત્વ હતા. જ્યારે માણતુષમુનિ અવિદિતતત્વ હતા છતાં બન્ને ભાવસ્તવના સ્વામી હતા. અહીં માપતુષમુનિનું દષ્ટાન્ત એટલા માટે આપ્યું છે કે જેથી શ્રદ્ધા અને ક્રિયાનો સમન્વય જણાય. એક અક્ષરનો બોધ ન થવા છતાં ૨૨૪ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy