SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ભારેકર્મી જીવોને સુંદર કોટીના ધર્મની બુદ્ધિ થવી એ અત્યન્ત દુર્લભ છે. સુગુરુ મળી ગયા પછી પણ કુમાર્ગને આરાધનારા જીવો હોય છે. આવો મળેલો માર્ગ કુમાર્ગ ન બને માટે માર્ગ કોને કહેવાય એ સમજી લેવું છે. આજે તમને ને અમને મલિનધર્મ ચાલે એવો છે ને ? રાત્રિભોજન ન કરીએ પણ બે ઘડી ચોવિહાર ન સાચવીએ તો ચોવિહાર કર્યાનો સંતોષ માની લઈએ ને ? બે ઘડી ન સાચવીએ તો અતિચારવાળો ચોવિહાર કર્યો છે એવું લાગે ? શુદ્ધની આશામાં અશુદ્ધ ચલાવીએ તો હજુ નભાવાય પણ શુદ્ધ જોઈતું ન હોય તો અશુદ્ધ ન નભાવાય. * કાયાથી શુધધર્મનું કરવું તો દૂર રહ્યું પણ મનમાં પણ શુદ્ધ ધર્મનો અભિલાષ જાગવો એ ભારેકર્મી જીવોને દુર્લભ છે. જો અભિલાષ જ દુર્લભ હોય તો પ્રવૃત્તિ ક્યાંથી સુકર બને ? જ્યાં સુધી આપણને શુદ્ધધર્મની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી આપણે ભારેકર્મી છીએ એમ સમજી લેવું. શુદ્ધધર્મની ઇચ્છા જાગે એ શુદ્ધ ગુરુને શોધવા નીકળે, પછી કઈ રીતે ધર્મ કરવો, વિધિ કઈ રીતની છે એ શોધવા નીકળે. * શુદ્ધધર્મનો પરિણામ ન હોય અને ધર્મ આરાધીએ એ અનાચાર અને શુદ્ધધર્મનો પરિણામ હોય છતાં સંયોગવશ અશુદ્ધ આરાધે ત્યાં સુધી અતિચાર. અતિચારવાળા ધર્મથી પણ પુણ્ય તો બંધાય છે – એવું જડબેસલાક આપણા હૈયામાં કોતરાઈ ગયું છે માટે જ શુદ્ધધર્મની ઈચ્છા જાગતી નથી. 1 * પેટ બગડયું હોય ત્યારે ખાવાની ઈચ્છા ન જાગે તો ખાવાની રુચિ પ્રગટાવવા મહેનત કરો તેમ આપણે ભારેકર્મી છીએ માટે શુદ્ધધર્મનો અભિલાષ થતો નથી એવું જાણીએ તો કર્મોને હળવા કરવા મહેનત કરી લેવી છે. કર્મોને હળવા કરવા માટે પેલા બે ચિત્રકારના દૃષ્ટાન્તને યાદ રાખી લેવું છે. આત્માને ઘસીને નિર્મળ બનાવીએ તો ગુણોનું પ્રતિબિંબ પડયા વિના નહીં રહે. આત્માને ઘસવો એટલે સુખ છોડવું અને દુઃખ વેઠવું. આત્માને ઘસ્યા વગર ધર્મક્રિયા કરી માટે આત્મા ઉપર છાપ ન પડી. શ્રી આનંદઘનજી મ. એ પણ સ્તવનમાં ગાયું છે ને - ‘શુદ્ધ શ્રદ્ધા વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણું તેહ જાણો’. * શુદ્ધધર્મ કરવાની શક્તિ ન હોય ત્યારે પણ શુધધર્મની ઈચ્છાને ટકાવી રાખવા પ્રયત્ન કરવો. બે ઘડી ન સચવાતી હોય તેવા વખતે ‘એકાસણાં કરીએ તો આ પાપમાંથી બચી જઈએ' આવા પરિણામના બદલે ‘આપણા માટે તો આ જ બરાબર છે' એવું બોલે તો શુધધર્મની ઈચ્છા ક્યાંથી કહેવાય ? યોગ્ય દવા ન લઈએ તો રોગ ૨૦૬ Jain Education International For Private & Personal Use Only શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy