SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાને બગાડે છે, વિકૃત બનાવે છે. અને પોતે બોલ્યા પછી તે સાબિત કરી આપવાની તૈયારી ન હોય એવું વચન પણ લોકમાં નિંદનીય કે હાંસીપાત્ર બને છે. ધર્માત્મા આવા ન હોય. * સાધુપણું લીધા પછી આપણી વાણી પર કાબૂ હોવો જોઈએ. ધર્મ કરવા માટે તૈયાર થયા પછી આપણું વચન નિષ્ફર ન હોવું જોઈએ – એ કાયમ માટે યાદ રાખવું છે. લોકમાં પણ કહેવાય છે કે ચા ચા મુખ્યતિ વાચવા, તવા તવા જ્ઞાતિન્દ્ર પ્રમાણમ્ આપણા વચન પરથી આપણી કુલીનતા, આપણી ખાનદાની જણાય છે. બીજા પ્રત્યે દુર્ભાવ જાગે ત્યારે આપણી ભાષામાં મધુરતા રહેતી નથી. પર વ્યક્તિ કે પર વસ્તુ ગમે તેટલી ખરાબ હોય કે ખરાબ થાય તેમાં આપણે કોઈ જ નુકસાન નથી. જે બળી જાય, છેદાઈ જાય, તૂટી જાય, ફૂટી જાય, છૂટી જાય .... તે આપણું હતું જ નહિ, છે જ નહિ આ પરિણામ જો કાયમ માટે બની રહે તો ભાષામાં ક્યારે ય કઠોરતા નહિ આવે. બીજાના હિતની ચિંતા કરવાની જવાબદારી આપણી નથી. આપણે આપણા હિતની સાધના માટે સાધુ થયા છીએ અને આપણી જાતને સુધારવા માટે ધર્મની શરૂઆત કરી છે – એ યાદ રાખવું. * ધર્માત્માની ભાષા પંચાયવવાક્યના પ્રયોગપૂર્વકની હોય. શબ્દનો પ્રયોગ સામા માણસના જ્ઞાન માટે કરાય છે. એ જ્ઞાન સારી રીતે થાય માટે, જે વાત કરીએ તે હેતુપુરસ્સર, દષ્ટાંત આપવા પૂર્વક અને દષ્ટાંત ઘટાડી આપવા દ્વારા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ ગ્રંથે પરાર્થાનુમાન સ્વરૂપ છે. બીજાને સમજાવવા માટે પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન આ પાંચ વાક્યનો પ્રયોગ કરવો તેનું નામ પરાથનુમાન. જેમ કે “પર્વતમાં આગ લાગી છે. આ પ્રતિજ્ઞાવાક્ય. શેના આધારે આગ લાગી છે – એમ કહો છો ? આવી શંકાના નિરાકરણમાં પર્વતમાં ધુમાડાના ગોટે-ગોટા ઊડે છે, માટે.” એવું કહેવું તે હેતુવાક્ય. હેતુને સાચો ઠરાવવા માટે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, જેમ કે રસોડું.' એવું કહેવું તે ઉદાહરણ-દષ્ટાંત વાક્ય. આ દષ્ટાંત ઘટાડવા માટે જે રીતે રસોડામાં ધુમાડા સાથે અગ્નિ હોય તેમ પર્વતમાં પણ ધુમાડો અગ્નિની સાથે જ રહેલો છે. આવું કહેવું તે ઉપનય વાય. અને અંતે નિર્ણય પર આવવું કે “પર્વતમાં આગ લાગી છે. તે નિગમન વાક્ય. એ જ રીતે કોઈ પણ ધર્મનો જાણકાર હોય તે આ રીતે પંચાવયવ વાક્યનો પ્રયોગ કરીને કોઈ પણ વાત કરે. સંસાર અસાર છે - આ પ્રતિજ્ઞાવાક્ય. સંસાર દુઃખરૂપ હોવાથી અસાર છે – આ હેતુવાક્ય. જે જે દુઃખરૂપ હોય તે અસાર છે જેમ કે રોગાવસ્થા તેમ જ દરિદ્રાવસ્થા ૧૯૬ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy