SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સ. જેની માન્યતા જુદી તેના તપની અનુમોદના કરાય ? જે માણસ ધંધો સારામાં સારો કરતો હોય પણ તેની દાનત ખરાબ હોય તો તેના ધંધાની અનુમોદના કરવા બેસો ખરા ? તેમ અહીં પણ સમજી લો. ‘જુદી' શબ્દ સુધરેલો છે. અસલમાં તે વિપરીત માન્યતા છે - એમ ચોખ્ખું બોલી જાઓ. અને વિપરીત માન્યતાવાળાની અનુમોદના કોઈ કાળે ન કરાય. ક્રિયા પહેલાં નથી, સમ્યત્વ પહેલાં છે. સમ્યકત્વ વિનાના ગુણની અનુમોદના કરવા નથી બેસવું. નિર્ણય ન હોય તો મૌન રહો. અનુમોદના કરવાની ઉતાવળ નથી કરવી. અહીં જણાવ્યું છે કે રાગી, દેવી, મૂઢ અને પૂર્વગ્રહથી ગ્રસિત એવા જીવો ધર્મ કરવા માટે યોગ્ય નથી. મધ્યસ્થ જીવો જ ધર્મ માટે યોગ્ય છે. * ૧૨. સૌમ્યદષ્ટિ : કોઈનું પણ સારું ખમાય તે સૌમ્યદષ્ટિવાળો કહેવાય. બીજાની ઋદ્ધિ જોઈને જેને ઈષ્ય, બળતરા ન થાય તે જ ધર્મ કરવા માટે યોગ્ય છે. બીજાના પુણ્યથી બીજાને જે માનસન્માન, ઋદ્ધિ અનુકૂળતા મળે તેમાં આપણે નારાજ થવાની જરૂર નથી. પુણ્ય ભોગવવાથી મોક્ષ નથી મળતો પુણ્ય પૂરું કરવાથી મોક્ષ મળે છે. બીજાનું પુણ્ય બીજા ભોગવે તેમાં આપણે બળવાની જરૂર નથી. દષ્ટિમાં સૌમ્યતા તે જ કહેવાય કે બીજાના ગુણો જોઈને જેમાં મત્સરનો ભાવ ન જાગે. ઈર્ષાના અંગારા આંખોમાં ન આવે અને પ્રમોદભાવનાથી દષ્ટિ શાંત બની હોય તે દષ્ટિની સૌમ્યતા. * જેને ધર્મ ઉપાદેય ન લાગે તે ભગવાન પાસે ધર્મ સિવાય બીજી વસ્તુ માંગે. ભગવાન પાસે ધર્મ સિવાય બીજું માંગીએ તો ભગવાનનું સ્વરૂપ સમજ્યા જ નથી. ભગવાન સર્વોત્કૃષ્ટ છે એમ કદાચ માનીએ, પણ ભગવાન સર્વોત્કૃષ્ટ વસ્તુ આપનારા છે માટે મહાન છે એવું ન માનીએ ને? સ. સર્વવિરતિની ઉપાદેયતામાં બે મત નથી છતાં લાખોમાં એકાદ આત્મા સર્વવિરતિ લેવા નીકળે છે તેની પાછળ કયું તત્ત્વ કામ કરે છે? અવિરતિ ગમે છે માટે દીક્ષા લેવાનું મન નથી થતું. જ્યાં સુધી સંસાર સારો લાગે ત્યાં સુધી દીક્ષા લેવાનું મન ન જ થાય. સંસાર પ્રત્યે નિર્વેદ ન જાગે તેને મોક્ષ સારો લાગે-એ વાતમાં માલ નથી. આથી જ શ્રી જયવીયરાય સૂત્રમાં ભવનિર્વેદ માંગ્યો છે, સંવેગ નથી માંગ્યો. આજે દીક્ષા લેનારાને કે લેવા તૈયાર થનારને પૂછવું છે કે સંસાર ખરાબ લાગ્યો માટે દીક્ષા લીધી છે કે દીક્ષા સારી છે માટે દીક્ષા લીધી ? દીક્ષા સારી લાગે માટે લઈ લે અને સંસાર ખરાબ ન લાગે તો સમજી લેવું કે દીક્ષા લીધા પછી નવો શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy