SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રેક્ષાસંયમ – ઊઠવા, બેસવા વગેરેની ક્રિયા કરતી વખતે જોઈને પ્રમાઈને બેસવું તે અગિયારમો પ્રેક્ષાસંયમ. જેની પ્રવૃત્તિ અલ્પ હોય તે આ સંયમ મજેથી પાળી શકે. દસ વાર ઊઠબેસ કરનારને આ સંયમ પાળવાનું શક્ય ક્યાંથી બને? * ઉપેક્ષાસંયમ - જેઓ સંયમમાં સિદાતા હોય અથવા પ્રવચનના કાર્યમાં ઉપેક્ષા કરતા હોય તેઓને પ્રેરણા કરી સંયમાદિમાં જોડવા તે વ્યાપારઉપેક્ષાસંયમ અને ગૃહસ્થ સાવધ કર્મો કરવા માટે ઉત્સાહિત ન થતો હોય તો તેની ઉપેક્ષા કરવીઉત્સાહિત ન બને તેની કાળજી રાખવી તે અવ્યાપારઉપેક્ષાસંયમ. આ રીતે વ્યાપારઉપેક્ષાસંયમ અને અવ્યાપારઉપેક્ષાસંયમ એમ બે પ્રકારનો બારમો ઉપેક્ષાસંયમ છે. સંયમના વિષયમાં ઉપેક્ષા ન કરવી અને અસંયમના વિષયમાં ઉપેક્ષા કર્યા વગર ન રહેવું – તેનું નામ ઉપેક્ષાસંયમ. સંયમની કાળજી રાખવાપૂર્વક અસંયમની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ. * પ્રાર્થનાસંયમ-સાગારિક જોતા હોય તો ગામમાં પેસતાં, નીસરતાં, પગની પ્રમાર્જના ન કરવી, ન હોય તો કરવી-તે તેરમો પ્રમાર્જનાસંયમ. * પારિઝાપનિકાસંયમ-જીવથી સંસક્ત વસ્તુ હોય, પ્રમાણાધિક વસ્તુ હોય, અનેષણીય-ભગવાને જેનો નિષેધ કર્યો હોય તેવી-દોષિત વસ્તુ હોય, ત્રણ માઈલથી ઉપર લાવેલ - ક્ષેત્રાતીત અનાદિ હોય અથવા ત્રણ પ્રહરથી અધિક કાળવાળાકાલાતીત અશનાદિ હોય, એવા પ્રકારનાં આહાર, વસ્ત્ર તેમ જ ઉચ્ચારપ્રશ્રવણાદિ હોય તેને નિરવદ્યસ્થાને જણાપૂર્વક પરઠવવાં તે ચૌદમો પારિષ્ઠાપનિકાસંયમ. * ૧૫ થી ૧૭ – અકુશલ મનવચનકાયાનો નિરોધ કરી કુશલપ્રવૃત્તિમાં મનવચનકાયાને જોડવા-તે ક્રમસર મનસંયમ, વચનસંયમ, કાયસંયમ. * આ સત્તર પ્રકારના સંયમનું પાલન કરવું હોય તો બાહ્યભાવથી વિમુખ થયા વિના નહિ ચાલે-એમ લાગે છે ને ? આ સંયમની ઉપાદેયતા સમજાતી હોય તો એટલું નક્કી કરો કે તમારા કામમાં અમને સંડોવશો નહિ. જે કામ તમારે કરવાનાં છે તેમાં સાધુને જોડવા નથી, તો જ તેઓ તેમના સંયમનું પાલન કરી શકશે. કોઈ સાધુભગવન્ત રસ લે તો હાથ જોડી વિનયપૂર્વક કહેજો કે “અમારાં કામ તો અમે પતાવી દઈશું, એમાં આપે જેવું નહિ પડે.” શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ 199 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy