SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ * શરીરની મૂર્છા ઉતારીને તપ કરનારને ધનની મૂર્છા હોય ખરી ? આજે ઊંધું છે ને ? તપ કરનારની નજર પ્રભાવના તરફ હોય ને ? * ધર્મ કરવાના કારણે પાપ ઢંકાઈ જાય છે માટે જ આપણે ધર્મ કરીએ છીએ ને ? કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય માટે ધર્મ કરીએ છીએ ? – * દસ પ્રકારની મોટી આશાતના બતાવ્યા પછી ઉત્તરાર્ધમાં દેવદ્રવ્યના રક્ષણમાં ગુણ છે અને ભક્ષણમાં દોષ છે એ પ્રમાણે જણાવ્યું અને 7 પદથી ઉપેક્ષામાં પણ દોષ છે એ પ્રમાણે બતાવ્યું. અહીં એટલું યાદ રાખવું કે – દેવદ્રવ્યનું ભક્ષણ એટલે કેવળ પેટમાં જાય એ જ નથી, આપણા ઉપયોગમાં લેવું એ ભક્ષણ શબ્દનો અર્થ છે. આજે કેટલાક આચાર્યભગવન્તો ‘કેવળ પેટમાં નાંખવું એ જ દેવદ્રવ્યનું ભક્ષણ કહેવાય' – એવો અર્થ કરે છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. જ * દેવદ્રવ્યની ઉપેક્ષા એટલે ‘એનું પાપ એના માથે, આપણને શું ?' છતી શક્તિએ ઉપેક્ષા કરીએ તો પાપ લાગ્યા વગર નહીં રહે. તમારા પૈસા કોઈ લઈ જતું હોય તો તમે ઉપેક્ષા કરો કે તેનો સામનો કરો ? અને અહીં ભગવાનના મંદિરનું જતું હોય ત્યારે મૌન રહો એ કઈ રીતે ચાલે ? * ભતિ શતિ મુજબ થાય પણ આશાતના એક પણ જાતની ન થવી જોઈએ. તમારી ભાષામાં કહીએ તો ઓછું કમાઈએ તે ચાલે પણ નુકસાન થોડું પણ ન જોઈએ. એક વખત આચાર્યભગવન્તે કહ્યું હતું કે – ધર્મ નહીં કરનારા જેટલી આશાતના નથી કરતા તેટલી આશાતના ધર્મ કરનારા કરે છે. દેવ-ગુરુ-ધર્મને જાણ્યા પછી એમની અવહેલનાનું પાપ એ ભયંકર પાપ છે. આવી અવહેલનાનું પાપ તેઓ જ કરે કે જેઓને દુર્ગતિમાં જવાનું હોય. * આશાતના સમ્યક્ત્વાદિનો ઘાત કરે છે. આશાતના ટાળવા માટે અવગ્રહની મર્યાદા રાખી છે માટે આશાતનાના વર્ણન પછી અવગ્રહનું વર્ણન કર્યું છે. અંગપૂજા કરતી વખતે આશાતના ન થાય માટે અષ્ટપડ મુખકોશ બતાવ્યો. તીર્થંકર પ્રત્યે બહુમાન નહીં હોય તો તેમની ભક્તિ કરવાથી લાભ નહીં થાય. અહીં તીર્થંકરપરમાત્માનો અવગ્રહ બતાવતી વખતે ગ્રંથકારે તીર્થંકરપરમાત્માનું ‘શાસ્તા’ આ પ્રમાણે વિશેષણ આપ્યું છે. અનુશાસન કરે તેને શાસ્તા કહેવાય. આપણને શું ગમે ? આપણું ચલાવી લે એ ગમે કે અનુશાસન કરે એ ગમે ? કડકમાં કડક અનુશાસન પોતે ઝીલ્યું છે માટે તેઓ અનુશાસન સારી રીતે કરી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy