SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ * આ સૂત્રમાં નિસાહિની જે વિધિ બતાવી છે તે ભાષ્યમાં બતાવેલ વિધિ કરતાં જુદી છે. ત્યાં ત્રીજી નિશીહિ ચૈત્યવંદન વખતે બોલવાની કહી છે. એમાં કોઈ વિરોધ નથી. બે ગ્રંથમાં બે પ્રકારના વિધિ બતાવેલા હોય અને બંન્ને ગ્રંથો જે પ્રામાણિક હોય તો બેમાંથી એકે વિધિનો નિષેધ ન કરી શકાય. આપણે ગીતાર્થ ગુરુભગવન્તની આજ્ઞા મુજબ તેમાંથી કોઈ પણ વિધિનું પાલન કરીએ તો તે નિર્દષ્ટ છે. આ જ રીતે આગળ-અન્યત્ર પણ સમજવું. * ગાથા ૪૦ થી ૪૪ : અહીં આ ગ્રંથમાં સ્તવપાઠ યોગમુદ્રાએ બોલવાનું વિધાન છે. આથી શિષ્ય શંકા કરે છે કે સ્તવ તરીકે લોગસ્સ યોગમુદ્રાએ બોલવો પણ નમુત્થણં સૂત્ર તો જીવાભિગમસૂત્રમાં બતાવ્યા પ્રમાણે ડાબો ઢીંચણ સહેજ ઊંચો રાખી, જમણો ઢીંચણ ભૂમિ પર સ્થાપી, લલાટ પર અંજલિ જોડીને બોલવું જોઈએ. ત્યારે ગ્રંથકારશ્રી તે શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે નમુત્યુસંસૂત્ર એ જ રીતે બોલવું એવો નિયમ નથી. જ્ઞાતાધર્મકથામાં પર્યકાસને બેસી મસ્તક પર હાથ જોડી નમુત્થણે બોલવાનું જણાવ્યું છે અને ચૈત્યવંદનવૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ખમાસમણું આપતી વખતે જાનુ અને હસ્ત ભૂમિ પર નિવેશિત કરી આંખો અને મન ભગવાન સન્મુખ રાખવાનો વિધિ પણ જણાવ્યો છે. આથી વિવિધ પ્રકારની વિધિને જણાવનાર તે ગ્રંથો પ્રમાણ હોવાથી યોગમુદ્રાએ નમુત્થણે બોલવામાં વિરોધ નથી. આ બધા પાઠો પરસ્પર તદ્દન વિરોધી નથી. કારણ કે દરેક વિધિમાં પરમાત્મા પ્રત્યે વિનય સૂચિત થાય છે. આથી સ્પષ્ટ છે કે જેમાં શાસ્ત્રપાઠ મળે તેવા મતાન્તરમાં વિવાદ કરવા ન બેસવું. જેમાં શાસ્ત્રનો ઉલ્લેખ ન મળે તેવા વખતે જે મતભેદ થાય તે બધા પ્રમાણ ન ગણાય. એવા વખતે શાસ્ત્રમાં નિષેધ નથી માટે આમ પણ કરાય આવો વિકલ્પ ન કરાય. સ. નિષિદ્ધમ્ અનુમતમું આવી જાય છે ને? ચાયઃ વિષ્ટિપ્રાય: આવો નિયમ ન્યાય વાપરતી વખતે યાદ રાખવાનો છે. ન્યાય સ્થવિર-વૃદ્ધની લાકડી જેવા છે. વૃદ્ધની લાકડી ચાલવા માટે કામ લાગે છે, ફટકારવા માટે નહિ. તેમ ન્યાયો ઈષ્ટની સિદ્ધિ માટે છે, અનિષ્ટ કે અનર્થની ઉત્પત્તિ માટે નહિ. નિષેધ ન કર્યો હોય તે નિષેધયોગ્ય પણ હોઈ શકે છે. શ્રી ઉપદેશરહસ્યમાં જણાવ્યું છે કે સૂર્યાભદેવતાએ નાટક પૂજા માટે ભગવાનની અનુજ્ઞા માગી ત્યારે ભગવાન મૌન રહ્યા હતા. કારણ કે નાટકપૂજા વિહિત હોવાથી તેનો નિષેધ ન કરી શકાય અને જો હા પાડે તો નાટકપૂજામાં થતા સાવધની અનુમોદના લાગવાનો પ્રસંગ આવે. આથી ભગવાન મૌન રહ્યા. અમારે ત્યાં રહેલા મુમુક્ષુ પણ પૂજા કરવા જતાં રજા લેવા આવે ૧૨૨ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy