SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શણગાર..... આ બધું અગ્રપૂજામાં સમાય અને સ્તુતિથી ભાવપૂજા સમજવી. ૧થી માંડીને ૮, ૨૪, ૩૨, ૫૦, ૧૦૮ શ્લોકથી સ્તવના કરવી તે ભાવપૂજા. * અવસ્થાત્રિક :- છત્મસ્થ(પિંડસ્થ), કેવલી(પદ0), સિદ્ધ(રૂપરહિત) : આ ત્રણ અવસ્થાનું પરિભાવન કરવું. કોઈ ઠેકાણે રાજ્યાવસ્થા સુધીની પિંડસ્થ અવસ્થા જણાવી છે. સંયમ અવસ્થા એ કેવળીપણાનું કારણ હોવાથી તેનો સમાવેશ પદસ્થમાં ર્યો છે. સામાન્યથી; અભિષેક કરતી વખતે છર્ભસ્થ અવસ્થાનું પરિભાવન કરવું. અલંકાર ચઢાવતી વખતે અષ્ટ મહાપ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય, પાંત્રીસ ગુણ વગેરે કેવલી અવસ્થાનું પરિભાવન કરવું અને સ્તવના વખતે સામાન્યતઃ અરૂપી-સિદ્ધાવસ્થાનું પરિભાવન કરવું. * વર્ણત્રિક :- વર્ણ, અર્થ અને આલંબન : એ વર્ણાદિત્રિક છે. વર્ણમાં વ્યાવિદ્ધ-ભેગું ભેગું બોલવું, વ્યત્યાગ્રેડિત-આઘુંપાછું બોલવું, આદિથી હીન કે અધિક અક્ષર બોલવો.. આ બધા દોષોથી રહિતપણે સૂત્રનું ઉચ્ચારણ કરવું. એ સૂત્રના અર્થનું જ્ઞાન મેળવી તેનું સૂત્રોચ્ચારણ વખતે પરિભાવન કરવું અને આલંબન એટલે પરમાત્માની પ્રતિમાજીનું આલંબન લેવું. * પ્રણિધાનત્રિક - સંવેગરસથી વ્યાપ્ત એવા અંતઃકરણની જે સ્થિરતા તેને મનનું પ્રણિધાન કહેવાય છે. સંવેગ એટલે મોક્ષનો અભિલાષ. એક ઠેકાણે દેવગુરુધર્મ પ્રત્યેનો જે શ્રદ્ધાતિશય તેને સંવેગ કહ્યો છે. આજે સંવેગ છે કે નહિ-એ પણ વિચારવું પડે એવું છે. એ સંવેગનો રસ આવે અને એ રસથી અનુવિધ એવું અંતર બને અને એમાં પાછી સ્થિરતા આવે-આટલા સુધી પહોંચવાનું કામ કરે છે. અનુવિદ્ધ એટલે એક પણ પ્રદેશ બાકી ન હોય તેવું-રગેરગમાં વ્યાપ્ત. સાતે ધાતુમાં સંવેગનો રસ વ્યાપી ગયો હોય તેનું નામ અનુવિદ્ધ. આજે આપણી ક્રિયાઓમાં મોક્ષનો અભિલાષ જણાય ખરો ? આપણે જે કાંઈ ક્રિયા કરીએ તે મોક્ષસાધક જ હોય ને? એટલું પણ ખાતરીપૂર્વક કહી શકો કે એક પણ પ્રવૃત્તિ મોક્ષબાધક તો નહિ જ બને ? મોક્ષને બાધા પહોંચે એવી એક પણ પ્રવૃત્તિ કરવી નથી. સંસાર છૂટે નહિ એ બને પણ સંસાર વધે એવું તો એક પણ પગલું ભરવું નથી એટલું તો બને ને ? સ. મોક્ષનો પુરુષાર્થ નબળો છે. નબળો હોય તો ય વાંધો નહિ. મારે તો કહેવું છે કે અવળો પુરુષાર્થ ચાલુ છે. ૧૧૯ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy