SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસરના મુખ્ય દ્વારમાં પહેલી, બીજી રંગમંડપમાં પેસતા અને ત્રીજી નિસીહિ ગભારામાં પેસતા કહેવી. સાવઘવ્યાપારના નિષેધ વડે નિવૃત્ત એવી નૈષિધિકીને નિશીહિ કહેવાય. પ્રદક્ષિણાત્રિક : * પ્રદક્ષિણા એટલે ક્ષિતાવારગ પ્રતિ યાક્રિયાનું તા: પ્રક્ષિTI:I. જમણેથી ડાબે જવાનું જે ક્રિયામાં છે તે પ્રદક્ષિણા. કેટલાક લોકો પ્રદક્ષિણા આપવાનું વિહિત નથી એમ કહે છે, તેમની વાત ઉપેક્ષણીય છે. કારણ કે સાક્ષાત્ પરમાત્માને જેમ પ્રદક્ષિણા દેવાય તેમ તેઓશ્રીની પ્રતીતિ કરાવનાર સ્થાપનાને પણ પ્રદક્ષિણા દેવી જોઈએ. શ્રી જીવાભિગમસૂત્રમાં વિજયનામના દેવની વક્તવ્યતામાં પ્રતિમાની પ્રદક્ષિણા સાક્ષાત્ જણાવી છે. * ગાથા ૩૬ : આ રીતે ઉપયોગપૂર્વક-પ્રણિધાનપૂર્વક જે મનુષ્ય દસત્રિકથી યુક્ત થઈ ત્રિકાળ ભગવાનને વંદન કરે તે શાશ્વત સ્થાનને પામે છે. દેવલોકમાં જવું એ પૂજાનું ફળ નથી. શુભ ભાવથી પૂજા કરવાથી આઠ કર્મોનો નાશ થાય છે. આજ્ઞા મુજબનું અનુષ્ઠાન કરીએ અને શુભ ભાવથી કરીએ તો આઠે ય કર્મોનો નાશ થયા વિના ન રહે. આઠ કર્મોનો નાશ થાય તે જ શાશ્વતપદે પહોંચે. આપણે મોક્ષમાં ન જઈએ અને દેવલોકમાં જઈએ તો માનવું પડે ને કે આપણે શુભ ભાવથી ક્રિયા કરી નથી? દેવલોકમાં તે જાય કે જેણે જાણતાં કે અજાણતાં મોક્ષસાધક ઉપાયનું સેવન ન કર્યું હોય. જે મોક્ષસાધક ઉપાય સેવતાં આવડે તો આ સંસારમાં રહીએ નહિ, મોક્ષે જ પહોંચી જઈએ. દેવલોક મળે પણ મોક્ષ ન મળે તો તે દેવલોક શું કામનો ? સારું સારું ખાવા મળે તોય આરોગ્ય ન મળે તો બરાબર નહિ ને? જો ભગવાનની આજ્ઞાનો આટલો પ્રભાવ હોય કે તેના યોગે અવિલંબે મોક્ષે પહોંચી શકાય તો એટલું નક્કી કરવું છે કે શરીર પડી જાય તોય વાંધો નહિ પણ આજ્ઞાને ધક્કો લાગવો ન જોઈએ. શરીર કામ ન આપે તો અનશનની તૈયારી કરવી જોઈએ કે શરીરને ટકાવવા માટે મહેનત કરવી જોઈએ? * વર્તમાનમાં આપણે ધર્મ ઘણો કરીએ છીએ છતાં શાસ્ત્રકારોની વાતો સાંભળતાં તો એમ લાગે કે આપણે ધર્મ કર્યા વિના જ અહીંથી જવાના. * ભગવાનના વંદનથી અને પૂજાથી શાશ્વત પદ મળે છે – એવું જાણ્યા પછી જેને શાશ્વતપદ જોઈએ તે પૂજામાં તન્મય બન્યા વિના ન રહે ને ? જેને ખાવું છે, રમવું છે, ભણવું છે, કમાવું છે.... તે તેના ઉપાયમાં તલ્લીન બન્યા વિના રહેતો નથી. કારણ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy