SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ * વિધિપૂર્વકની આરાધનાનું સત્ત્વન હોય ત્યારે તરવા માટેના આલંબન તરીકે વિધિબહુમાન બતાવ્યું. ખાવાનું ભાવતું ન હોય, ખાવાનું સત્ત્વ ન હોય ત્યારે ખાવાનું બહુમાન તો હોય ને ? રમવાનું સત્ત્વ ન હોય ત્યારે રમવાવાળા પ્રત્યે બહુમાન હોય ને ? એની સામે ને સામે જુઓ-એ શું સૂચવે છે? બહુમાન જ ને ? ભિખારીને ખાવા ન મળે ત્યારે ખાનારની સામે ટગર ટગર જોયા કરે તેવી રીતે વિધિપૂર્વક ક્રિયા કરનારની સામે જોયા કરીએ ત્યારે સમજવું કે – વિધિ પ્રત્યે બહુમાન છે. આજે તો કોઈને કાઉસ્સગ્નમાં વાર થાય તો “સ્કૃતિ રાખો, પ્રમાદ ન લેવો, ટાઈમસર ક્રિયા કરવાનું શીખો....' વગેરે સૂચનાઓ અપાય ને ? આ બહુમાન ન કહેવાય. શુદ્ધ ક્રિયા કરનારને જોયા પછી પગમાં પડવાનું મન થાય તો સમજવું કે – વિધિબહુમાન છે. * અવિધિનું આચરણ કરવા છતાં કોઈ આંગળી નથી અડાડતું તે આપણા પુણ્યમાં ખામી આવી માટે. કરુણાસંપન્ન માણસનો હજુ આપણને ભેટો થયો નથી. જે એવાનો ભેટો થઈ જાય તો આપણને કાંડું પકડીને અવિધિમાંથી બહાર કાઢત. વિધિનું જ્ઞાન મળે અને એ મુજબ આચરણ કરીએ એ આ ભવમાં તો લગભગ શક્ય નથી ને ? * મોક્ષની ઉક્ટ ઈચ્છા હોય તેને સાધન પ્રત્યે રાગ ન હોય એવું ન બને. * આજે બીજાનું વચન જેટલું માનવું ગમે છે તેટલું ભગવાનનું વચન માનવું ન ગમે ને ? સામાન્ય કોટિના માણસનું માનવું ગમે અને ઊંચામાં ઊંચા દેવતત્ત્વની વાત માનવી ન ગમે તો માનવું પડે ને કે નશીબ ફૂટ્યાં છે? સ. ભગવાનનું વચન એટલે? સંસારના સુખ પ્રત્યે રાગ ન કરવો એ ભગવાનનું વચન, દુઃખ પ્રત્યે દ્વેષ ન કરવો એ ભગવાનનું વચન, સાત વ્યસન વગેરે અનાચાર ન સેવવા એ ભગવાનનું વચન, મોક્ષનાં સાધનોને અપ્રમત્તપણે સેવવાં એ ભગવાનનું વચન. ભગવાનનું વચન ન ગમે તોપણ તારક છે માટે માની લેવું છે – આટલું નક્કી કરવું છે? ઘરના લોકોનું વચન પણ ઘણી વાર ગમતું ન હોવા છતાં માન્યા વગર ચાલે એવું નથી માટે માની લઈએ ને ? તેમ અહીં પણ ભગવાનનું વચન માન્યા વગર નિસ્તાર નથી માટે ભગવાનનું વચન માની લેવું છે – આટલું પણ બને ખરું? * આજે આપણા માટે વિધિનું જ્ઞાન મેળવવું સહેલું છે, વિધિ મુજબ આરાધના કરવી પણ સહેલી છે. પરંતુ એ વિધિમાર્ગ પ્રત્યે બહુમાન જાળવવું અને વિધિમાર્ગને ૧૧૩ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy