SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે. આપણે શુદ્ધિમાં ન હોઈએ અથવા તો શુદ્ધિમાં હોવા છતાં છોકરાઓ કે સગાવહાલા ન માને ને પરાણે લઈ જાય તો જયણા, બાકી આપણે આપણી ઈચ્છાથી હોસ્પિટલમાં નથી જવું : આટલો નિયમ આજે લઈ જ લેવો છે. » ‘તિ સ્થાપ્યાનુરૂપતયા ‘તિષ્ઠતિ વિ4મ્ રૂતિ પ્રતિષ્ઠા'. પ્રતિ એટલે સ્થાપ્ય એવા સાક્ષા(ભાવ) તીર્થંકર પરમાત્માને અનુરૂપપણે બિંબ જેના કારણે રહે તે(ક્રિયા)ને પ્રતિષ્ઠા કહેવાય. આ પ્રમાણે પ્રતિષ્ઠાનો વ્યુત્પત્યર્થ બતાવ્યો. પ્રતિષ્ઠાના કારણે બિંબમાં સ્થાપ્યાનુરૂપતા આવે માટે અધિકારી તેની પ્રતિષ્ઠા કરે. સ્થાપ્યને એટલે કે તીર્થંકર પરમાત્માના સાક્ષાત્ સ્વરૂપને અનુરૂપ એવું બિંબ હોવું હોઈએ. સાક્ષાત્ પરમાત્મામાં જેવી નિર્વિકાર મુદ્રા, સૌમ્ય મુદ્રા, તેજસ્વિતા હોય તેવી જ પ્રતિમામાં જણાય - પ્રતીત થાય એવી પ્રતિમા હોવી જોઈએ. * ગાથા ૨૨ - અનઘ એટલે લોભાદિદોષરહિત શિલ્પીને સન્માન કરવા પૂર્વક પોતાના વિભવને ઉચિત મૂલ્ય ચઢતા પરિણામે આપવું અને તારિસ્સામાવે - અનઘ એટલે કે લોભાદિદોષરહિત એવો શિલ્પી ન હોય તો તેવા દોષયુક્ત (આવડતવાળા) શિલ્પીના હિત માટે તે કાળને ઉચિત એવું બિંબનું મૂલ્ય પહેલેથી નક્કી કરી લેવું. અન્યથા લોભના કારણે વધુ લે તો કલ્પિતદ્રવ્યના ભક્ષણથી તે (શિલ્પી) સંસારના ખાડે પડે. એવું ન બને એ માટે દ્રવ્યનું નિયમન કરે. મા વિખ્વાર્થન્જિતદ્રવ્યમક્ષતઃ સંસારર્ત ચપતવણી... જે શિલ્પી લોભિયો હોય તે ૫૦ રૂપિયાના સ્થાને ૭૫ રૂ. માંગે, આપણે પ્રતિમા બનાવવાના ૧૦૦ રૂપિયા કપ્યા હોય તેથી તે કલ્પિતદ્રવ્ય કહેવાય. એમાંથી શિલ્પીએ ૨૫ રૂપિયા અધિક લીધા હોવાથી તે શિલ્પીને કલ્પિતદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. આથી તે લોભથી અધિક ન માગે તે માટે પહેલેથી જ મૂલ્યનું નિયમન કરી લેવું. * દશાનિકા મહોત્સવને આશ્રયીને દશ દિવસ પછી પ્રતિષ્ઠા કરવાનું કહ્યું. દશ પ્રકારના યતિધર્મને પામવા માટે દશાહ્નિકા ઉત્સવ કહ્યો. આ રીતે ઉત્સવ કરવા પૂર્વક અધિવાસન કરેલ પ્રતિમાજીને સ્વસ્થાને પ્રતિષ્ઠિત કરવાં. અધિવાસન એટલે અંજન પહેલાંની વિધિ. અધિવાસના કર્યા પછી અંજન કરવાનું હોય છે. * સઠાણે - જ્યાં જગ્યા દેખાય ત્યાં ભગવાન પધરાવવાની વાત નથી. પ્રતિમાને યોગ્ય જે સ્થાન હોય તેવા મુખ્ય સ્થાને બિંબ પધરાવવું. * શાસનદેવીનું સ્મરણ એ જ પૂજા છે, તેને સ્વતંત્ર પૂજવાનું અહીં વિધિમાં નથી બતાવ્યું. ૧૦૨ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy