SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેક્ષા અનાદર ક્યારેય ન કરે, કોઈ સંયોગોમાં પૂજા ન થાય એ બને પણ આશાતના તો ન જ કરે. આ બધા ગુણોની ઉપેક્ષા કરવાથી એક પછી એક દૂષણો પેસતાં જાય છે અને ત્યાંથી એ ફાળ અહીં આવવાથી અમારે ત્યાં પણ આ દૂષણ વર્તાય છે. ગુરુભગવન્ત વૃદ્ધ થાય એટલે હવે એમને કશું યાદ નથી રહેતું આવું શિષ્ય બોલે? એ તો ઊલટું કહે કે “એમને જે યાદ છે તે આપણને યાદ નથી. કાલે શું ખાધું હતું તે ભૂલી જાય પણ ખાવા જેવું નથી તે – ક્યારે ય ભૂલતા નથી'. ખાધેલું ભૂલવામાં પાપ નથી, ખાવા જેવું નથી એ ભૂલવામાં પાપ છે .. આ બધાં દૂષણોની ઉપેક્ષા કરીશું તો શાસ્ત્ર હાથમાં રહી જશે, વાતો મોઢામાં રહી જશે અને આપણે હાથ ઘસતા અહીંથી જવું પડશે. * આપણે ધર્મ કરવો છે પણ ધર્મ પામવો નથી, આથી જ આજ્ઞા મુજબનોવિધિ મુજબનો ધર્મ કરવાનું પાલવતું નથી. * અધિકારીએ જિનમંદિર બંધાવ્યા પછી વહેલી તકે જિનબિંબ બનાવરાવીને દશ દિવસમાં પ્રતિષ્ઠા કરી લેવી. * ઘરખર્ચ માટે જે પૈસા પતિએ આપ્યા હોય તેને પતિની જાણબહાર બચાવીને - સંઘરીને તે પૈસાથી પ્રતિમા ન ભરાવાય. કારણ કે આ પૈસો અન્યાયથી પ્રાપ્ત કરેલો હોવાથી ચોરીનો પૈસો છે. ઘરના લોકોને પૈસા આપ્યા પછી તેનો હિસાબ મેળવવો જોઈએ. ઘરની માલિકી આપણા હાથમાં જોઈએ. ઘરના લોકોના હાથમાં માલિકી હોય તેવા ઘરમાં આપણે રહેવું નથી. થોડું સત્ત્વ તો કેળવવું જ પડશે. વીતરાગપરમાત્માનું શાસન મળ્યા પછી ઘરના લોકોની આજ્ઞા પાળવા માટે આપણે ઘરમાં રહીએ તો આપણા જેવું મૂરખ બીજું કોઈ નથી. ભોગ છોડી ન શકીએ તોપણ ભોગના ગુલામ નથી બનવું. ૪ નાદિ વિહારૂં ન્યાયથી પ્રાપ્ત કરેલ વિત્ત હોવું જોઈએ.. ઈત્યાદિ વિધિનો જાણકાર હોય (ષષ્ઠી વિભક્તિ પ્રથમામાં સમજવી.) ઘાયHITહાળો ૨ - અત્યન્ત, આજ્ઞાનું પ્રાધાન્ય માનનારો હોય. તે જિનભવન બંધાવવાનો અધિકારી છે - એ પ્રમાણે શ્લોકમાંના ‘વ’ પદથી સૂચવ્યું છે. * ભગવાનની આજ્ઞા ન માને તેને ચારિત્રમોહનીય ગાઢ બંધાય. ભગવાનની આજ્ઞાને અને મોહને દુશ્મનાવટ છે. મોહ હોય ત્યાં આજ્ઞા ન હોય, આજ્ઞા હોય ત્યાં મોહ ન આવે. ૧૦૦ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy