SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ * જગતના જીવો, સુખની સામગ્રીમાં આનંદ માણે છે. * શાસનને પામેલા જીવો, ધર્મસામગ્રીમાં આનંદ માને આ ક્યારે બને ? સુખમય સંસાર ભૂંડો લાગે ત્યારે. દુનિયાના સુખની ઇચ્છા થવી, એ પાપ. એ સુખને મેળવવાની મહેનત કરવી, એ પાપ. મળી ગયા પછી આનંદ માનવો, એ પાપ. ભોગવતાં ભોગવતાં હર્ષિત થવું, એ પાપ. સાચવવા માટે આકાશપાતાળ એક કરવાં, એ પાપ. ચાલ્યા જાય ત્યારે પોક મૂકવી, એ પાપ. મૂકીને મરવું પડે ત્યારે મૂંઝવણ થવી, એ પાપ. જૈનશાસન એટલે ઃ સમ્યકત્વ-સર્વવિરતિ-અપ્રમત્તભાવક્ષપકશ્રેણી-મોહનાશ-વીતરાગતા-કેવળજ્ઞાન-અયોગીપણું-મોક્ષ. સંસાર અસાર. મોક્ષ જ સાર. મનુષ્યજન્મ દુર્લભ. મોક્ષ જ મેળવવા જેવો. મોક્ષ માટે સાધુપણાની જરૂર. સાધુપણા માટે “સંસાર ભંડો'ની સમજ અને સુખત્યાગ-દુઃખસ્વીકાર. “સુખ મજેથી ભોગવે, દુઃખ રોઇ-રોઈને ભોગવે', એવા જીવોની ગતિ સારી નહિ. આ દુનિયાના સુખની જરૂર પડે તે બધા મેલા આત્મા. દુઃખથી ગભરાયેલા, સુખની ઇચ્છાવાળા, જીવવાના લોભી, મરણથી ડરનારા બધા મેલા આત્મા. 49. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy