SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ આત્માને દુઃખ આપે. પુણ્ય આત્માને સુખ આપે. ધર્મ આત્માને શુદ્ધ બનાવે. ધર્મ શું ? પાપથી આવતા દુઃખમાં સમાધિ, પુણ્યથી મળતા સુખમાં વિરાગ. જીવવાનો લોભ નહિ, મરવાનો ડર નહિ. સારાં કામ સદા કરવાનાં, ખરાબ કામથી દૂર રહેવું. આ જન્મ, અજન્મા યાને પરમાત્મા થવા માટે છે. પરમાત્મા બનવા પહેલાં, ધર્માત્મા થવું જોઈએ. ધર્માત્મા બનવા માટે, સુખનો ત્યાગ અને દુઃખનો સ્વીકાર કરવો જોઈએ. ઘર ડુબાડે : ભગવાનનું મંદિર તારે. પેઢી ડુબાડે : ઉપાશ્રય તારે. ધન ડુબાડે : ધર્મ તારે. સંબંધી ડુબાડે : સાધર્મિક તારે. સંસારની બધી સામગ્રી ડૂબાડે : ધર્મની બધી સામગ્રી તારે. જે ભાગ્યશાળીને જીવતાં સ્વેચ્છાએ ઘરબાર છોડવાનું મન થાય તે ધર્માત્મા. કરેલાં પાપોના ફળરૂપે, દુઃખોને સ્વેચ્છાપૂર્વક ભોગવવા માટે, આ જન્મ છે. આવી સમજણવાળો આત્મા એ ધર્માત્મા કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy