SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ * સમકિત પામ્યો એનો સંસાર મુઠ્ઠીમાં આવ્યો. * જ્ઞાન અને વિદ્યા ભલા માટે આપવાની અને ભાગવાની છે, ભૂંડા માટે નહીં. લોકોએ ઊંધું ઘાલી ડિગ્રી મેળવવા ભણવા માંડ્યું છે, પણ ભણવાથી ભૂંડું થાય કે ભલું-એ કાંઇ વિચાર કર્યો જ નહિ એટલે આજે અધઃપતન ચારે તરફ દેખાઈ રહ્યું છે ને ? * જે શિક્ષણે ભગવાનને ભુલાવ્યા, સગાં મા-બાપને ભુલાવ્યા; જે ભણ્યા પછી જાત ગઇ, કુળ ગયું, મર્યાદા ગઇ, લજ્જા ગઇ, હવે બાકી શું રહ્યું ? એક કપડાં પહેરીને કરે છે એટલું સારું છે. જે સાધુએ આવા શિક્ષણમાં સહાય અપાવી છે એણે ભયંકર પાપ કર્યું છે. ઘણા માણસોને સારું કપડું મળે તે સાચવી જ રાખે અને સડી જાય ત્યારે પહેરે. તેમ તમે પણ ધર્મની સાધનામાં ઉપયોગી એવા આ શરીરને સાચવી જ રાખવાનું કામ કર્યું છે, જ્યારે ધર્મ કરવા મન થશે ત્યારે શરીર નકામું બની ગયું હશે, માટે ક્ષણ લાખેણી ન ગુમાવો. જેની ઉઘરાણી ભૈયાજેવી હોય, તે અહીં આવી દાન કરે પણ તેનું દાન ધર્મપ્રભાવક થતું નથી. કેમ કે લોક તેની સામે આંગળી કરે છે, કે બહારમાં વ્યવહાર-વર્તન સારું નથી. માટે એ ખામી પહેલી દૂર કરવા જેવી. * અમારા ચારિત્રધર્મનું અનુમોદન તમારે રોજ કરવાનું. જ્યારે તમારા સંસારનું લેશમાત્ર અનુમોદન અમારે ક્યારેય કરવાનું નહીં. જA0w Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy