SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે જણાવવા માટે સૌથી પહેલાં ભવના સ્વરૂપનું વિજ્ઞાન કરવાનું કહ્યું છે. આ સંસારમાં એક પણ ગુણ નથી- એવું જ્ઞાન કરવું તેનું નામ ભવસ્વસ્પનું વિજ્ઞાન. જે નિર્ગુણ છે, એવા સંસાર માટે ધર્મ કરવાનું શાસ્ત્રકારો કહે - આ વાત મગજમાં બેસે એવી છે ખરી? આ સંસારમાં પુણ્યથી ગમે તેટલા સારામાં સારા વિષયો મળતા હોય તોય આ સંસાર નિર્ગુણ છે ? એવું માનો? અનુકૂળ સંસાર પુણ્યથી મળે છે. પુણ્યથી સંસાર મળે છે માટે પુણ્ય ખરાબ છે. આજે તો તમને ને અમને પુણ્ય નથી અને પાપનો ઉદય છે. એનું દુઃખ છે ને? જે પુણ્ય ભોગવે છે તે રાગના કારણે માર ખાય છે અને જેને ભોગવવા મળ્યું નથી તે ઈચ્છાના કારણે માર ખાય છે. “તમારે તો બધું સારું..” આમ કહીને પુણ્યની અનુમોદના કરનારા પુણ્યના અર્થ છે- એમ સમજી લેવું. જે જેની અનુમોદના કરે તે તેના અર્થી હોય. વિરતિધર જો અવિરતિધરની અનુમોદના કરે તો સમજવું કે આજે નહિ તો કાલે તે ઘરભેગો થવાનો. વિરતિ ક્ષયોપશમથી મળે છે અને અવિરતિ (નો ભોગવટ) પુણ્યથી મળે છે. ક્ષયોપશમભાવ મળ્યા પછી પુણ્યની ઈચ્છા રાખે તે પાપમાં પડવાના. લોકોતર માર્ગે નીકળેલા, લોકોત્તર ફળની ઈચ્છાવાળા આ સંસારમાં ભટકે તો તેમાં શાસ્ત્રકારનો ગુન માનવો પડે. આથી જ શાસ્ત્રકારોએ કોઈ પણ યોગ્ય જીવ આ માર્ગથી અને માર્ગના ફળથી વંચિત ન રહી જાય તેની કાળજી ડગલે ને પગલે રાખી છે. પરંતુ શાસ્ત્રકારોએ બતાવેલા માર્ગમાં ઘાલમેલ કરે તો એ ગુનો શાસ્ત્રકારોનો નથી. શાસ્ત્ર કરતાં વિપરીત માર્ગ બતાવવો અને શાસ્ત્ર કહેલા માર્ગથી વિપરીત માર્ગે ચાલવું - એ ગુનો આપણો છે. આજે શાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy