SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારનો એક પણ હેતુ સેવવાનો વખત જ ન આવે, એવો સમય જ ન મળે તે માટે આ સ્વાધ્યાય આપ્યો છે. શરીર ટકાવવા માટે તો છે કલાકની નિદ્રા અને ત્રણ કલાકના આહાર-નીહારાદિ બતાવ્યા છે. એનાથી વધુ શું જોઈએ? પંદર કલાકનો સ્વાધ્યાય કરે તેને ગાથા ચઢે કે ન ચઢે પણ વિકથાદિના પાપથી બચી જવાના કારણે અને માર્ગાનુસારી પ્રયત્ન કરવાના કારણે જ્ઞાનાવરણીયાદ કર્મોની નિર્જરા થયા કરે. બીજું ફળ મળે કે ન મળે, આ જ મોટો ફાયદો છે. પ્રમાદ ટળી ગયો, વિકથા ટળી ગઈ, નિંદામાં ન પડ્યા એ જ ફળ. પાપથી બચવા માટે સ્વાધ્યાય છે, માત્ર આવડે એ માટે નહિ. જે સાધુસાધ્વી આ ભણવામાંથી બહાર નીકળે તેને અવિરતિ ઉપાદેય લાગે. સુખ ભોગવવાનું મન કેમ થાય છે? જ્ઞાન જોઈતું નથી માટે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે વિદ્યાર્થિનઃ યુતિ: સુવું, સુવર્થનઃ યુકતો વિદ્યારે જે ગાડીની બ્રેક ફેઈલ થઈ ગઈ હોય તે ગાડી ઈષ્ટ સ્થાને પહોંચાડે? તેમ જે સાધુ પાસે પંદર કલાકના સ્વાધ્યાય સ્વરૂપ આક્ષેપક જ્ઞાન ન હોય તેનું સાધુપણે તેને મોક્ષે ક્યાંથી પહોંચાડે? પંદર કલાકનો સ્વાધ્યાય જો ચાલુ હોય તો કોઈની તાકાત નથી કે આપણા ગુણો લૂંટી લે અને દોષો ઘાલી જાય. જો પંદર કલાક સ્વાધ્યાય નહિ હોય તો ગુણોને સાચવવાનું અને દોષોને આવતા રોકવાનું કામ અશક્ય છે. આ સ્વાધ્યાય નાશ પામ્યો માટે ભણેલું પણ ભુલાવા માંડ્યું. આજે અમારાં સાધુસાધ્વી ભણેલું ભૂલી ગયા છતાં વિદ્વાન ગણાય છે. જ્યારે વિદ્વાનની વ્યુત્પત્તિ કરતાં જણાવ્યું છે કે વેત્તિ તિ વિહીન - જેને ભણેલું વર્તમાનમાં યાદ હોય તે વિદ્વાન ગણાય. ભૂતકાળના જ્ઞાનીને વિદ્વાન ન કહેવાય. એ જ્ઞાન ટકાવવાનો ઉપાય આ આક્ષેપક જ્ઞાન છે. મોક્ષમાર્ગની સાધના કરતી વખતે આ સંસારસુખોની માયા અવરોધ કરતી હોય છે. તે વખતે આક્ષેપક જ્ઞાનની જરૂર પડવાની. ૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy