SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ લાગશે તેની ચિંતા કરવાના બદલે આપણે ખોટાન થઈએ એની ચિંતા કરવી છે. * અલંકાર પહેરવામાત્રથી શરીરની શોભા ન વધે, યોગ્ય સ્થાને અલંકાર પહેરવામાં આવે તો તે શરીરની શોભા વધારે. તેમ શાસનનાં કાર્યો કરવામાત્રથી શાસનની શોભા ન વધે. યોગ્ય વ્યક્તિ, યોગ્ય કાળે, યોગ્ય રીતે ઉચિત એવાં શાસનનાં કાર્યો કરે તો શાસનની શોભા વધે. શાસનનાં કાર્યોમાં આપણી ઈચ્છાનું પ્રાધાન્ય ન આપતાં આજ્ઞાને આગળ કરવામાં આવે તો જ તે કાર્યો શાસનની પ્રભાવનાનું અંગ બને. * ગુરુભગવંતના માત્ર ગુણ ગાયા કરવા-એ ગુણાનુવાદ નથી, ગુરુભગવંતનું કહ્યું માનવું-એ જ તેમના ગુણાનુવાદ છે. ગુરુભગવંતનાં વખાણ કરવાના બદલે તેમનું એકાદ પણ વચન માની લઈએ-એ સાચા ગુણાનુવાદ છે. જેને કશું કરવું નથી, કશું પામવું નથી તેને ગુરુના ગુણ ગાવાનો અધિકાર નથી. ઉત્તમના ગુણ ગાતાં ગાતાં આપણામાં ગુણ આવે એની ના નહિ, પરંતુ ગુણ લાવવા હોય તો ગુણ આવે. * ગુરુની સેવાભક્તિ કરવી અને વચન ન માનવુંએ વિનય નથી. તમારે ત્યાં પણ વિનયી દીકરો કોને કહો ? બાપાની પગચંપી કરે પણ બાપાનું કહ્યું ન માને તો તેને વિનયી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy