SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અકળાઈ જઈએ અને બીજાને દોષ આપવા બેસી જઈએ, એ ચાલે ? આપણી ઉઘરાણી કોઈએ ન આપી હોય, આપણા પૈસા કોઈએ પચાવી પાડ્યા હોય તો રોવા નથી બેસવું. શ્રી રામચંદ્રજીને, શ્રી હરિશ્ચન્દ્રજીને યાદ કરી લેવાના. તેમનાં તો રાજપાટ ગયાં હતાં, આપણે રસ્તે રખડતાં તો નથી થયા ને ? દુઃખ આપણા પાપે આવે છે-આટલું જાણ્યા પછી એટલો નિયમ લેવો છે કે- દુઃખ દૂર કરવા માટે હવે પાપ નથી કરવું ?' દુ:ખ મનથી સહન થાય છે. શરીર કે સંયોગો ગમે તેવા હોય, પણ મન જે સત્ત્વશાળી હોય તો દુઃખ મજેથી સહન થાય. દુઃખ તો સંકલ્પબળથી સહન થાય છે અને સંસારમાં રહેવું નથી' આ પરિણામમાંથી સંકલ્પબળ મજબૂત થાય છે. જેઓ કેવળ મોજમજામાં રાચ્યા હોય તેમને સંકલ્પબળ કાયમ માટે કાચું હોય. દુઃખ ભોગવી લેવાથી સુખનો રાગ અને સુખનો આસ્વાદ મરી જાય છે. થોડું થોડું દુઃખ પરાણે પણ વેઠવા માંડીએ તો સુખનો આસ્વાદ મરે, સુખનો આસ્વાદ મરે એટલે સંકલ્પબળ મજબૂત થાય અને સંકલ્પબળ મજબૂત થાય એટલે દુઃખ મજેથી વેઠાય. દુઃખ મજેથી વેઠી લેવાથી સંસારથી મુક્ત થવાય. * દુઃખ વેઠવાનો અભ્યાસ તો અનાદિનો છે છતાં સ્વચ્છંદતાની આસક્તિ એ અભ્યાસને તોડી પાડે છે. સુખની આસક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy