SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મળતાં કલહાદિનાં નિમિત્તોને ટાળે તેનું નામ સજજન અને જે પોતાના દોષો છુપાવ્યા કરે અને બીજાના દોષો જાણવા, સાંભળવા, પ્રચારવા માટે પ્રયત્ન કર્યા કરે તેનું નામ દુર્જન. જે સુખ છોડે પણ સજ્જનતા ન છોડે, દુઃખ આવે તોય દુર્જનતા ન આવવા દે તેની આરાધના પ્રશંસનીય બને. * કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે માનકષાય આડો આવે તો સમજવું કે સુધરવાનું મન નથી. જેને સારા થવાનું મન હોય તેને કોઈ કષાય આડો ન આવે, જેને સારા દેખાવાનું મન હોય તેને બધું નડ્યા વગર ન રહે. * નહાતી વખતે શુદ્ધ થવાનું લક્ષ્ય હોય છે, રસોડામાં જતી વખતે રાંધવાનું કે ખાવાનું લક્ષ્ય હોય છે, બજારમાં જતી વખતે કમાવાનું લક્ષ્ય હોય છે, ટી.વી. સિનેમા જોતી વખતે આનંદ-મજા માણવાનું લક્ષ્ય હોય છે, દવાખાને જતી વખતે રોગ કાઢવાનું લક્ષ્ય હોય છે, તેમ ધર્મ કરતી વખતે સંસાર છોડવાનું ને મોક્ષે જવાનું લક્ષ્ય હોય છે ખરું ? દુનિયાના દરેક ક્ષેત્રમાં લક્ષ્ય વગર ડગલું પણ ન ભરનારને અહીં લક્ષ્યવિહીન ધર્મક્રિયાઓ કરવાનું કેવી રીતે ફાવે છે ? * આપણે જાતે દુઃખ ભોગવીએ ત્યારે બીજાના દુ:ખની કલ્પના આવે. જેને બીજાના દુ:ખની કલ્પના આવે તે બીજાને દુ:ખ આપવાના પરિણામથી આઘો રહી શકે અને બીજા જીવોની રક્ષા પણ સારામાં સારી રીતે કરી શકે. આથી જ ભગવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy