SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરું કરવા ન રહ્યા અને આરાધના પૂર્ણ કરવા નીકળી પડ્યા. આપણામાં અને આ મહાપુરુષોમાં આટલો ફરક છે, કે તેમને પુષ્ય ઓછું લાગ્યું તો તેમણે પુષ્યનો ભોગવટો છોડી દીધો, જ્યારે આપણને પુણ્ય ઓછું પડે તો તેને વધારવા માટે મહેનત કરીએ છીએ. આ અંતર સમજાય તો આ મહાપુરુષોના જીવનપ્રસંગો આપણા જીવનમાં પરિવર્તન લાવનારા બની શકે એવા છે. માત્ર આપણી પાસે સમજવા માટે બુદ્ધિ અને અપનાવવા માટે હૈયું જોઈએ. * આપણા રોજના વ્યવહારમાં પણ જે ઈચ્છાઓ કોઈ પણ રીતે પૂરી થાય એવી નથી એવું લાગે તો એ ઈચ્છાઓ મૂકી જ દઈએ છીએ ને ? મન વાળીને બેસી જ રહીએ છીએ ને ? એ જ રીતે અહીં પણ ભગવાન કહે છે કે ગમે તેટલા ધમપછાડા કરીએ તોય આ સંસારમાં સુખ નહિ જ મળે : તો એ સાંભળીને સુખની આશા મૂકી દેવી છે ? કે જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવું છે ? * આ દુનિયામાં આપણે કોઈના કારણે હેરાન નથી થતા. આપણા જ પોતાના લોભ અને મોહના કારણે હેરાન થઈએ છીએ. એક બાજુ અજ્ઞાન(મોહ) અને બીજી બાજુ આસક્તિ(ઈચ્છાઓ-લોભ) આ બેની વચ્ચે ભીંસાવાના કારણે આપણે હેરાન-પરેશાન છીએ. આ હેરાનગતિમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy