SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના ગુણો પ્રગટે છે, ધર્મથી સંસાર જાય છે અને મોક્ષ મળે છે, ધર્મથી દુઃખનો દ્વેષ જાય છે અને સુખ પ્રત્યે વિરાગ જાગે છે. એમ માનવું, એ સાચી શ્રદ્ધા છે. * સાધુપણાનો બધો ધર્મ કેવળજ્ઞાન પામવા માટે છે તેમ શ્રાવપણાનો બધો ધર્મ સાધુપણું પામવા માટે કરવાનો છે. શ્રાવકને દરેક ધર્મક્રિયા કરતી વખતે એક જ ભાવ હોય કે ક્યારે આ સંસારને છોડીને સાધુ થઉં ?' તમે જે થોડોઘણો ધર્મ કરો છો તે સાધુ થવા માટે કરો છો કે સંસારમાં સેટ થવા માટે કરો છો ? * સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે માટે ભગવાને શ્રાવકધર્મ બતાવ્યો છે-એવું નથી. જેઓ સંસારનો ત્યાગ કરી સાધુ થઈ શકતા નથી તેવાઓ અધર્મ કરીને સંસારમાં રખડી ન પડે તે માટે ગૃહસ્થપણામાં થોડોઘણો ધર્મ બતાવ્યો. ગૃહસ્થપણામાં ધર્મ અને અધર્મ બન્ને સાથે હોય, એકલો ધર્મ તો સાધુપણામાં જ હોય. જેને સાધુ થવું ન હોય તેના માટે શ્રાવકધર્મ નથી, જે સાધુ થઈ શકતા ન હોય તેના માટે શ્રાવકધર્મ છે. તમે સંસારમાં રહ્યા છો તે સાધુ થવું નથી માટે રહ્યા છો કે સાધુ થઈ શકતું નથી-માટે રહ્યા છો ? * ધર્મ દુઃખ ટાળવા માટે નથી કરવાનો, પાપ ટાળવા માટે કરવાનો છે. પાપ કરવાના અવસરે આઘોપાછો થાય, પણ પાપનું ફળ(દુઃખ) ભોગવવાના અવસરે આનાકાની ન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy