SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ હોય ત્યારે આવી જ દશા હોય ને ? * અત્યારે અનીતિ કરીને પુષ્કળ પૈસો ભેગો કરનારા એ યાદ નથી રાખતા કે-આ પૈસો અત્યારની અનીતિથી નથી મળ્યો, ભૂતકાળના પુણ્ય મળ્યો છે. બાકી અત્યારે જે અનીતિનું પાપ ક્યું છે તેનું ભયંકર ફળ ભવિષ્યમાં ભોગવવાનું બાકી જ છે. ભવિષ્ય સામે નજર કરતા નથી માટે અત્યારે પાપ કરવામાં મજા આવે છે, ભવિષ્યનો વિચાર કરે તો અત્યારે પાપની મજા મર્યા વગર ન રહે. * ધર્મ, સંસાર સુખેથી ચાલે એ માટે નથી કરવાનો પરંતુ સંસાર છૂટી જાય એ માટે અને સંસાર છોડવાની ભાવના જાગે એ માટે કરવાનો છે. * ધર્માત્મા તેને કહેવાય કે જે દુઃખ ટાળવાને બદલે દીનતા ટાળવા માટે મહેનત કરે અને દુઃખની દીનતા તે ટાળી શકે કે જે સુખમાં લીન ન બને. * ધર્મ કરવાથી સારું થાય-એવું બોલવાના બદલે ધર્મ કરવાથી સારા થવાય-એવું માનવાની જરૂર છે. દેરાસરમાં જઈને “ભગવાન ! મારું ભલું કરજો-એમ કહેવાને બદલે “ભગવાન ! મને ભલો કરજે” એમ માગવાની જરૂર છે. “ધર્મથી સંસારનું સુખ મળે છે અને દુ:ખ ટળે છે’-એમ માનવું, એ સાચી શ્રદ્ધા નથી. “ધર્મથી પાપ જાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy