________________
એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સે ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
ધર્મ વિષે
(કવિત) સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રોઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના. જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું ! ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, Jaોજાળફંડ તોડવાને હેતે નિજ હાથથી;
org
શ્રીરાજdદના