SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. આ બધું અપ્રશસ્તભાવો પ્રત્યે જેટલું સહજભાવે અનુભવાય છે, એટલું પ્રશસ્તભાવોના વિષયમાં અનુભવાતું નથી. શ્રી સર્વજ્ઞભગવન્તોએ અથવા તેઓની પ્રત્યે શ્રદ્ધાને ધારણ કરનારા પૂ. ગુરુભગવંતોએ જેનું પ્રતિપાદન કર્યું છે-એવા એકાન્ત સદ્ભૂત પ્રશસ્તભાવોને “આ, આ પ્રમાણે જ છે આ પ્રમાણેના પરિણામથી સ્વીકાર કરવા માટે મનને ખૂબ ખૂબ કેળવવું પડતું હોય છે. ‘તમે કહો છો પણ અમને ન બેસે તો કેવી રીતે શ્રદ્ધા જાગે ? અમને પ્રતીતિ તો થવી જોઇએ ને ? અનુભવ વગર શ્રદ્ધા શી રીતે થાય ? તે તે વખતે લખાયેલી વાતો અત્યારે કઈ રીતે મનાય ? દ્રવ્યક્ષેત્રાદિની અપેક્ષાએ દરેક વસ્તુમાં ફેરફાર તો હોય છે ને ?' આવી તો કેટલીય દલીલો કરીને મન; પ્રશસ્તમાર્ગ પ્રત્યેની શ્રદ્ધાથી દૂરસુદૂર રહે છે. એની પાછળ મુખ્ય કારણ યોગમાર્ગ પ્રત્યેના તેવા રાગનો અભાવ છે. શ્રદ્ધા માટે રાગ જેટલું કોઈ પ્રબળ સાધન નથી. દુનિયાની મોટાભાગની પ્રવૃત્તિ શ્રદ્ધાપૂર્ણ હોવા છતાં યોગમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે શ્રદ્ધા અંગે જે ઔદાસીન્ય છે તે ખૂબ જ વિચિત્ર છે. સાધકોનું એ કર્તવ્ય છે કે સ્થાનાદિ યોગ પ્રત્યે કોઈ પણ રીતે ઉટકોટિનો રાગ કેળવવો જોઈએ. એ રાગની પ્રત્યે જે બાધક છે તેને ઉત્કટ પ્રયત્ન પણ દૂર કરવા જોઈએ. સ્થાનાદિયોગની પ્રવૃત્તિ, પાલન અને તેમાં દોષનો પરિહાર કરવાના વિષયમાં જે હર્ષ થાય છે તેને પ્રીતિ કહેવાય છે. શ્રદ્ધાસમ્પન્ન સાધકને સિદ્ધિના દ્વારે પહોંચાડવાનું કામ આ પ્રીતિથી શક્ય બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy