SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકશે નહીં. પરંતુ શતિ અને સંયોગાનુસાર એ વિનોને જીતીને આપણે બધા આરંભેલાં આપણાં તે તે કાર્યોને પૂરાં કરીએ છીએ - એ નજરે દેખાય છે. એની અપેક્ષાએ તદ્દન વિષમસ્થિતિ આપણી ધર્મપ્રવૃત્તિમાં મોટાભાગે જોવા મળે છે. કોઈ પણ જાતની ધર્મપ્રવૃત્તિનો આરંભ ક્ય પછી એમાં કોઈ પણ વિઘ્ન આવે તો સૌથી પહેલાં એ બંધ થઈ જાય છે. ના છૂટકે એ ચાલુ જ રાખવી પડે તો વિનને જીતવાના બદલે તેને દૂર કરવાનો અથવા તો તેને હળવું બનાવવા બીજી અનુકૂળતા મેળવવાનો જ પ્રયત્ન શરૂ થઈ જાય છે. અર્થ અને કામની પ્રવૃત્તિમાં વિદ્ગો ઉપર જય મેળવનારા; ધર્મની પ્રવૃત્તિ વખતે વિદ્ગોને ન જીતે એ ચાલે ? ઇષ્ટ સ્થાને પગે જતી વખતે કે સાધન દ્વારા જતી વખતે માર્ગમાં કાંટા-કાંકરા, પથ્થરો અથવા તો ખાડા વગેરે આવે. ત્યારે ઈષ્ટ સ્થાને જવા માટે ચાલવાનું કે જવાનું શરૂ કરનારા તે તે વિઘ્નોનો પરિહાર કરી તેને ગણકાર્યા વિના પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી જેમ ઇઝસ્થાનને પ્રાપ્ત કરે છે તેવી રીતે સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ ઘર્માનુષ્ઠાન પ્રસંગે બાહ્ય કાંટા-કાંકરાજેવા, શીતઉષ્ણ વગેરે બાહ્ય પરિષહસ્વરૂપ વિદ્ગોને જીતી અર્થ એ વિદ્ગોમાં અકળાયા વિના તે તે ધર્માનુષ્ઠાનોને સુંદર રીતે કરવાનો જે પરિણામ છે - તેને પ્રથમ હીન વિધ્વજય કહેવાય છે. ધનાદિની પ્રાપ્તિ માટે શીત-તાપ વગેરે અનેક જાતનાં કરો હસતા મુખે સહન કરીને પણ કોઈ પણ રીતે ધંધા વગેરેની પ્રવૃત્તિ અવિરતપણે ચાલતી આપણે જોઈ શકીએ છીએ. ગમે તેવી ગરમી કે ઠંડી પડે પરંતુ દુકાને, નોકરીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy