SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, પરંતુ “પરમાત્માના ગુણો જેવા જ મારા પણ ગુણો છે. આવા પ્રકારનું પરમાત્મતુલ્ય આત્મજ્ઞાન જ મુદ્દધ્યાનનો અંશ છે, અર્થાત નિરાલંબનયોગ છે. આ જ્ઞાન જ મોહનાશક છે. શાસ્ત્રમાં આ વાતને વર્ણવતાં ફરમાવ્યું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જેઓ અરિહંત પરમાત્માને જાણે છે તે જ ખરેખર પોતાના આત્માને જાણે છે, અને આવા આત્મજ્ઞાનીનો મોહ(અજ્ઞાન) નષ્ટ થાય છે. આ બધી વિચારણાનો સાર એક જ છે કે રૂપી પદાર્થના આલંબનવાનું ધ્યાન એ સાલંબનયોગ છે અને અરૂપી પદાર્થના આલંબનવાનું ધ્યાન, નિરાલંબનધ્યાન છે. ૧૯ો. નિરાલંબન ધ્યાનથી આત્માને પ્રાપ્ત થનારાં ફળોનું વર્ણન વીસમી ગાથાથી કરાય છે एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव । तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं ॥२०॥ ઉપર જણાવાયેલ નિરાલંબનધ્યાન પ્રાપ્ત થયે છતે, દુઃખે કરી જેનો અન્ત થાય છે-એવા રાગાદિ અત્યંતર દુષ્ટ ભાવોની પરંપરા સ્વરૂપ સમુદ્ર તરાય છે, જેથી શપબ્રેણીનું પરિવહન પૂર્ણ થાય છે. પૂર્વે જણાવેલા અધ્યાત્મ, વૃત્તિસંક્ષય વગેરે સ્વરૂપ યોગોનો પ્રર્ષ જેમાં છે, એવા આશયવિશેષને ક્ષપકશ્રેણી કહેવાય છે. તેની પૂર્ણતાથી આત્મા, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય સ્વરૂપ ચાર ઘાતિર્મથી રહિત બને છે. આ નિરાલંબનધ્યાનને અન્ય દર્શનકાર(પતંજલિ) સંપ્રજ્ઞાતસમાધિ કહે છે. એ વસ્તુ અપેક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy