SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રાબને; તેમાં મીઠું હોવા છતાં મીઠા વિનાની રાબ કહેવાય છે. તેમ જ અહીં સૂક્ષ્મ જ અરૂપી આલંબન હોવાના કારણે અનાલંબન યોગ કહેવાય છે... આ પ્રમાણે ઓગણીસમી ગાથાનો શબ્દાર્થ છે. આ ગાથાના ચોથા પાઠના સ્થાને કોઇ કોઇ પ્રતમાં મુહુમો આ ંવળો નામ આવો પાઠ છે. એ મુજબ ગાથાના ત્રીજાચોથા પાઠનો અર્થ એ છે કેસૂક્ષ્મ આલંબનવાળો યોગ અનાલંબનયોગ છે. આ રીતે અર્થ કરવામાં ના ંવન પદને વધારાનું વિચારવું પડે છે. તેથી આ પુસ્તકમાં વર્ણવેલ ચોથો પાદ સારો છે. આ અનાલંબનયોગનું સ્વરૂપ શ્રી ષોડશપ્રકરણમાં વર્ણવતાં ગ્રંથકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે-સાલંબન અને નિરાલંબન આ બે પ્રકારે યોગ બે પ્રકારનો છે. શ્રી જિનેશ્વરદેવોનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ વગેરે વિચારવું એ સાલંબનયોગ છે અને શ્રી સિદ્ધપરમાત્માના ગુણોના સ્વરૂપનો વિચાર કરવો – એ નિરાલંબનયોગ છે. આમ જોઇએ તો બંન્ને યોગમાં આલંબન છે જ. છતાં સાલંબન અને નિરાલંબન તરીકે વર્ણવવા પાછળનો આશય સ્પષ્ટ કરતાં ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે-બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયના કારણે થનારા જ્ઞાનના વિષય સ્વરૂપ પ્રતિમાદિ આલંબનની સાથે વર્ત્તતા યોગને અહીં સાલંબનયોગ કહેવાય છે અને એવા બાહ્ય ઇન્દ્રિયના વિષયભાવને પ્રાપ્ત નહિ કરનારો નિરાલંબન યોગ કહેવાય છે. શ્રી સિદ્ધપરમાત્માના સ્વરૂપનું ધ્યાન છદ્મસ્થ જીવો કરે છે. પરન્તુ તેને તેઓ જોઈ શકતા નથી. આવા ધ્યાનને નિરાલંબનયોગ કહેવાય છે. આથી સ્પષ્ટ છે કે - સાલંબનયોગનો Jain Education International ૧૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy