SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા જેટલી ધીરજ: લોકોત્તરધર્મના આરાધક બનવા માટે કેળવ્યા સિવાય છૂટકો નથી. લોકો એ કેળવે કે ન કેળવે, આપણે તો એ કેળવી લેવી જોઈએ-એવું તમને નથી લાગતું ? આપણી પાસે ગણનાપાત્ર બુદ્ધિ છે, થોડી સરળતા દાખવી તેનો ઉપયોગ કરી લઈએ તો અત્યાર સુધીના અનુષ્ઠાનના આભાસમાંથી આપણે મુક્ત બની સદનુષ્ઠાનને પ્રામ કરવાની યોગ્યતા પ્રામ કરી શકીશું. ।।૧૭ગા સ્થાનાદિ ચાર યોગોનું સ્વરૂપ વર્ણવીને પાંચમા અનાલંબનયોગનું સ્વરૂપ વર્ણવવા માટે; ગ્રંથકારશ્રી સહનુષ્ઠાનના પ્રકારોનું વર્ણન કરવા પૂર્વક સદનુષ્ઠાનના છેલ્લા પ્રકારમાં અનાલંબનયોગનો સમાવેશ અઢારમી ગાથાથી જણાવે છે. एयं च पीड़भत्तागमाणुगं तह असंगयाजुत्तं । नेयं चउव्विहं खलु; एसो चरमो हवइ जोगो ॥१८॥ આ સદનુષ્ઠાન પ્રીતિ ભક્તિ અને વચનને અનુસરનારું ત્રણ પ્રકારનું છે. અર્થાર્ પ્રીત્યનુષ્ઠાન ભક્ત્યનુષ્ઠાન અને વચનાનુષ્ઠાન આ ત્રણ પ્રકારનું સદનુષ્ઠાન છે તેમ જ એ સદનુષ્ઠાનનો ચોથો પ્રકાર અસઙ્ગાનુષ્ઠાન છે. આ ચોથા પ્રકારના અસઙ્ગાનુષ્ઠાન સ્વરૂપ પાંચમો અનાલંબનયોગ છે - આ પ્રમાણે અઢારમી ગાથાનો અક્ષરાર્થ છે. આ ગાથામાં વર્ણવેલા સદનુષ્ઠાનના ચાર પ્રકારનું સ્વરૂપ જે રીતે ગ્રંથકારશ્રીએ શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે - એ મુજબ વર્ણવતાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે - જે અનુષ્ઠાન કરતી વખતે; આદર હોય છે, હિતકારિણી એવી પ્રીતિ ઉત્પન્ન થાય છે અને Jain Education International ૧૦૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy