SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપયોગદશામાં સુખશીલતા જળવાય તે માટે ઉપયોગ રાખવાનું ગમતું નથી. તેથી જ શાસ્ત્રકારો દુઃખ વેઠવાનો અને સુખ છોડવાનો ઉપદેશ આપે છે. અત્યાર સુધી જે ભૂલો કરી છે તેને સુધારવાનો એક જ ઉપાય છે કે સુખશીલતાનો ત્યાગ કરી દુઃખ ભોગવવાની વૃત્તિ કેળવી લેવી અને ભગવાનની આજ્ઞા મુજબની ક્રિયાઓમાં ચિત્ત પરોવવું. આઠ પ્રકારના ચિત્તના દોષોને ટાળીને જ શ્રી જિનેશ્વર ભગવન્તોએ ફરમાવેલી ક્રિયાઓ કરવી જોઈએ, એ પ્રમાણે જણાવીને હવે ચિત્તના આઠ દોષોનાં નામ ત્રીજી ગાથાથી જણાવે છે खेदोद्वेग - क्षेपोत्थान - भ्रान्त्यन्यमुद्रुगासङ्गः । युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥३॥ ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુ, રોગ અને આસંગથી યુક્ત એવાં ચિત્તોને પ્રવાહથી અર્થાત્ સતત ન રહે તે રીતે બુદ્ધિમાને વર્જવાં જોઈએ. ૧) ખેદ : માર્ગમાં મુસાફર જેમ થાકી જાય છે અને આગળ ચાલવાનું બંધ કરે છે તેમ ધર્મક્રિયા કરતાં અટકાવે એવી જે થાન્તતા(શ્રમ) છે તેને ખેદ કહેવાય છે. પૂર્વષિાની પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થયેલ અને ઉત્તરક્રિયા કરતાં અટકાવે એવું જે દુઃખ, તે દુઃખસ્વરૂપ ખેદ છે. ૨) ઉગઃ ખેદ ન હોવા છતાં સ્થાને બેઠા ઉગ આવે છે. - ક્રિયા કરવામાં સુખ નથી મળતું, મજા નથી આવતી ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy