SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગોવયોગીઓને નથી હોતું. સામાન્યતઃ કુળયોગી તેઓને કહેવાય છે કે જેઓ યોગીઓના કુળમાં જન્મેલા હોવાથી યોગીઓના આચાર પાળે છે. ગોવયોગી તેઓને કહેવાય છે કે જેઓ યોગીકુળમાં જનમવા છતાં યોગીના આચારને પાળતા નથી. જ્યારે, જેઓ યોગીકુળમાં ન જન્મ્યા હોય તો ય યોગીઓના આચારને પાળે છે તે બધા પ્રવૃત્તચક્યોગી કહેવાય છે. યોગમાર્ગની પ્રત્યે પ્રીતિ ધરવાના કારણે યોગનું ફળ પામવા માટે રાત અને દિવસ પ્રવર્તતા અનુષ્ઠાનનું ચક અર્થાત્ સમુદાય જેમની પાસે છે તેવા પ્રવૃત્તચક્યોગીઓને આવું યોગીચિત્ત મળે છે. આવા ચિત્તવાળા યોગીઓ; વિવિક્ત એટલે એકાન્ત સ્થાને, ઊભા રહીને અથવા પવાસન-પર્યકાસન વગેરે આસને, કાયાને સંયમિત કરીને અર્થાત્ ડાંસ, મચ્છર વગેરેને ગણકાર્યા વિના અને જેઓ યોગમાર્ગનું આરાધન કરીને યોગી થયા છે તેઓનું સંસ્મરણ કરવા પૂર્વક આગમાનુસારે શ્રી જિનેશ્વર ભગવંતના સ્વરૂપનું વચનનું ધ્યાન ધરે છે. ધ્યાન એ આત્માનો ગુણ છે. આવા ધ્યાનની શિબિરો ન હોય, શિબિરો તો નેત્રશિબિર કે હાડકાં વગેરેની શિબિર હોય. ધ્યાન તો ગુરુભગવંતની નિશ્રામાં રહીને ક્રમસર દોષોનું ઉમૂલન કરીને પ્રાપ્ત કરવાનું હોય છે. દોષોનો સમુદાય ગુણોને આવતાં અટકાવે છે. દોષો જવા માંડે એટલે મસર ગુણોનો ઢગલો થતો જાય. જે અનુષ્ઠાન કે જે ક્રિયા આપણી વિષયકષાયની પરિણતિને દૂર ન કરતી હોય, આપણી સ્વછંદતાનો નાશ ન કરતી હોય અને ભગવાનની તથા ગુરુભગવંતની આજ્ઞાને આધીન ન બનાવતી હોય તે ક્રિયામાં આપણને આઠ દોષો નડી રહ્યા છે-એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy