SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સવ યોગ્ય દેશના આપી માટે. યોગ્ય દેશના પણ યોગ્યે યોગ્યને આપી માટે – એ ભૂલી ન જાઓ. યોગ્યને યોગ્ય પાત્ર મળી જાય અને યોગ્ય દેશના આપવામાં આવે તો કેવું સુંદર પરિણામ આવે એ સમજાય છે ને ? - સ0 અયોગ્ય જીવને પણ યોગ્ય દેશના આપીએ તો તે ધીરે ધીર યોગ્ય ન બને ? બની શકે. પણ અયોગ્યતા કેવા પ્રકારની છે-એ પણ જોવું પડે ને ? જેનું માથું ખાલી હોય એવા અયોગ્યને યોગ્ય બનાવાય, પણ જેનું હૈયું ખાલી હોય તેવા અયોગ્યને યોગ્ય કેવી રીતે બનાવાય ? જેનું માથું ખાલી હોય તેને નિશ્રા અપાય. પણ હૈયા વગરનાને સાચવી ન શકાય. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુભગવન્તની વાચના સાંભળીને જેના હૈયામાં સંવેગ અર્થાત મોક્ષનો અભિલાષા પ્રગટ ન થાય તેને વાચનામાંડલીમાંથી ઉઠાડી મૂકવો. સ૮ બુદ્ધિ ઓછી હોય તો ? બુધિની અલ્પતા તો જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી હોય, જ્યારે પરિણામમાં સંદ્ધિતા મોહનીયના ઉદ્યથી આવે છે. જ્ઞાનાવરણીયના ઉદયવાળાને નભાવાય. કારણ કે જ્ઞાનાવરણીયના ઉદયના કારણે કાંઈ મોક્ષની ઇચ્છા નથી રોકાઈ જતી. પણ મોહનીયના ઉદયવાળાને ન નભાવાય. કારણ કે એની તો મોક્ષની ઇચ્છા જ મરી ગયેલી હોય છે. મોહનીયના ઉદયવાળો પણ એને આધીન ન હોય અને એ ઉદયને ટાળવા માટે મહેનત કરતો હોય એવાને પણ નભાવાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy