SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈિત્યવંદન કરવાની ( . . . . . . . • • • • • રd ૪ ચૈત્યવંદન કરતા પહેલાં ત્રીજી વખત “રિસીટી, નિસીટી, રિસીટી” બોલવી. આ બોલવાથી દ્રવ્યપૂજાનો ત્યાગ થાય છે. અને ભાવપૂજાનો પ્રારંભ થાય છે. / ખેસથી ત્રણવાર ભૂમિ પ્રમાર્જન કરીને “ઈરિયાવહિયા” કર્યા પછી ત્રણ ખમાસમણાખમાસમણાની વિધિપૂર્વક આપી ચૈત્યવંદન શરુકરવું. જમણો પગ જમીન ઉપર રાખીને તથા ડાબા પગની ઘુંટણ ઊભો રાખીને ફોટામાં બતાવેલ મુદ્રામાં બેસીને ચૈત્યવંદન કરવું. જાવંતિ ચેઈસાઈ, જાવંત વિ. યવયરાય સૂત્ર મુકતાશુક્તિ મુદ્રામાં બોલવા. (બંને હાથની આંગળીઓના ટેરવા સામ સામે અડાડી થેલી વચ્ચે થોડું પોલાણ રાખી છીપના આકારનો સંપુટ બનાવવો તેને મુક્તાશુક્તિ મુદ્રા કહે છે. નીચેનો ફોટો જૂઓ.) કોઈપણ પ્રકારનો સહારો લીધા વિના ચૈત્યવંદન કરવું. ત્રણે દિશાનો ત્યાગ કરીને, માત્ર પરમાત્મા સામે દૃષ્ટિ રાખીને ચૈત્યવંદન કરવું. આડી અવલી કોઈ વાત કર્યા વિના ચૈત્યવંદન કરવું. તથા અક્ષત પૂજા આદિ કર્યા પછીજ ચૈત્યવંદન ચાલુ કરવું. ચૈત્યવંદતી વખતે કોઈ પણ પ્રકારની દ્રવ્યપૂજા કરવા ઉઠવું નહીં. ચૈત્યવંદન કરતી વખતે પચ્ચખાણ લેવું નહીં, કોઈને આપવું નહીં, ચૈત્યવંદન કરી રહેલા પૂણ્ય સાધુ-સાધ્વી પાસે માંગવું નહીં. મનને સ્થિર કરીને ચૈત્યવંદના સૂત્ર અને અર્થ ઉપર ધ્યાન રાખવું તથા તેનું ચિંતન કરવું. અર્થ ગંભીર પ્રાચીન એક સ્તવન તો અવશ્ય બોલવું અથવા ઉવસગહરં બોલવું. ચૈત્યવંદત, કાઉસ્સગ અને પચ્ચખાણ થયા પછી એક ખમાસમણું આપીને ભૂમિ ઉપર જમણો હાથ રાખી “અવિધિ આશાતના મિચ્છામિ દુક્ક” આ પ્રમાણે બોલવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy