________________
નવપદજીની પૂજા
૧૯૭ બાવનાચંદન રસ સમ વયણે, અહિત તાપ સવિ ટાળે; તે ઉવજઝાય નમીજે જે વળી, જિનશાસન અજુવાળે રે.
ભવિકા ! સિદ્ધચક્રપદ વંદો. ૫.
તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. વીર. ૧.
શ્રી ઉપાધ્યાયપદ કાવ્ય સુત્તત્કસંગમય સુએણં, સનીરખીરામયવિષ્ણુએણે; પીણંતિ જે તે ઉવજઝાયરાએ, ઝાએહ નિર્ચાપિ કયપૂસાએ. ૧.
શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણ; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧.
સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળ કળશ નીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨
બાવનાચંદનના રસ સરખા શીતળ વચનોવડે પ્રાણીના અહિતરૂપી સર્વ તાપને જે દૂર કરે છે તેમ જ જે જિનશાસનને (વિશેષપણે) પ્રકાશિત કરે છે તે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરો. ૫
દુહાનો અર્થ - તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત છે, બાર અંગનું ધ્યાન કરે છે, વિશ્વના બંધુ છે અને જગત સાથે બંધુભાવથી વર્તે છે તેવો આત્મા જ ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. ૧.
ઉપાધ્યાયપદ કાવ્યનો અર્થ - ઉત્તમ જલ, દૂધ તથા અમૃતસરના સૂત્ર, અર્થ તથા વૈરાગ્યમય જ્ઞાનનું જે ઉપાધ્યાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org