________________
સ્નાત્ર પૂજા સાથે
૧૩
મૂકે કુસુમાંજલિ સુરા, વરચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧.
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:.
કુસુમાંજલિ-ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત દવેવી; કુસુમાંજલિ મેલો વીર નિણંદા. ૧૨
વસ્તુ-છંદ હવણકાલે હવણકાલે, દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિં સંઠવિય, પરંત દિસિ પરિમલ સુગંધિય;
શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતમાં જય કરનારા છે. તેમને જલ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ફૂલોને પાણીથી સાફ કરી હાથમાં લઈ કુસુમાંજલિ મૂકવી. ૧૦.
દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીર પરમાત્માના સુકુમાલ ચરણોમાં મૂકે છે, તે કુસુમાંજલિ ભવ્યજીવોના ત્રણે કાળનાં પાપોને દૂર કરે છે. ૧૧.
જુદી જુદી જાતના ઉત્તમ પુષ્પો લઈને શ્રી જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરી તે કુસુમાંજલિ સ્થાપન કરીએ. ૧૨.
મેરુપર્વત ઉપર પરમાત્માને લઈ જઈ હવરાવી દેવો અને દાનવો ભેગા થઈ દશે દિશાઓમાં જેની સુગંધી પ્રસરી રહી છે એવી કુસુમાંજલિ શ્રી જિનેશ્વરના ચરણકમળમાં સ્થાપન કરે છે. જે પરમાત્માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org