SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ વિધિસંગ્રહ ૨. ચોમાસામાં અન્ય સ્થળે મુહપત્તિ પડિલેહણ કરવાની વિધિ પૂ. સાધુ મ. અને પૂ. સાધ્વીજી. મ. જે ક્ષેત્રમાં જે ઉપાશ્રયમાં માસું રહ્યા હોય પણું–કેઈ નાના કારણસર ઉપધાન–ઓપરેશન આરાધના ઓચ્છવ હવા પાણીની પ્રતિકૂલતા ઊભી થાય અને બીજે ઠેકાણે જવું પડે તે તેના માટે પ્રથમથી જ ચોમાસું બેસતાં મુહપત્તિ પડિલેહણ કરવાની વિધિ કરવાની હોય છે. અશિવ વગેરે મોટા કાર સર ચોમાસામાં પણ બીજે ગામ પણ વિહાર કપે તે વાત ક૫સૂત્રના પહેલાં વ્યાખ્યાનમાં લખેલી છે જ. તે સિવાયના કારણે માટેની આ વાત ને વિધિ છે. આ વિધિ અષાઢ સુદ ૧૧ થી અષાઢ સુદ ૧૪ ના ચૌમાસી પ્રતિક્રમણ પહેલાં કરી લેવી જોઈએ. આ વિધિ પૂ. સાધુ સાધ્વી મ. ને કરવાની હોય છે. આ વિધિ જે દિવસે જે સમયે જે સ્થળમાં કરવાની હોય ત્યાં પ્રથમથી ખબર અપાવી દેવા અને અહિંથી દાંડા સાથે દંડાસણ તથા સ્થાપનાચાર્યજી લઈને જવું અને ત્યાં જે સ્થળમાં રહેવા માટેની શકયતાને સગવડતા હોય તેના એક ખૂણામાં સ્થાપનાચાર્ય બાજોઠ પર પધરાવી ખમા દઈ ઈરિયાવહિયં કરી. અમારા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન માસી મુહપત્તિ પડિલેહું? આ આદેશ માંગી મુહપત્તિ પડિલેહણ કરવી પછી પડિલેડમાં આવતી કાજે લેવાની વિધિથી કાજે લે અને પરઠવવે. પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામી દુક્કડે કહેવા, ઉતાવળમાં અથવા ભૂવના કારણે સ્થાપનાચાર્યજી લેવાનું વિસરી ગયા હઈયે તે દાંડો નવકાર પંચિંદિયથી સ્થાપીને આ વિધિ કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy