SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૧૫ સમાજના, સાહિત્યના તથા સંસ્કૃતિના સંખ્યાબંધ વિષયોની આધારભૂત અને ઉપયોગી માહિતી આપતી આ ત્રણસો પુસ્તિકાઓ ૧૮૧ લેખકોએ લખી છે; આ લેખકોમાં ૧૫ જેટલી તો બહેનો છે. આ બધા લેખકોની પસંદગી કેવળ ગુજરાતીભાષી વર્તુળમાંથી જ કરવામાં આવી નથી. એ માટે દેશના જુદાજુદા ભાગમાંથી તે-તે વિષયના જાણકા૨ વિદ્વાન્ લેખકોની પસંદગી કરવામાં આવે છે. ઇતર ભાષાનાં લખાણોનો ચીવટપૂર્વક અનુવાદ કરીને એને છપાવવામાં આવે છે એ તો ખરું જ; ઉપરાંત ગુજરાતી ભાષાનાં લખાણોને પણ જેમને તેમ છાપી દેવાને બદલે પૂરેપૂરી માવજતથી એનું સંપાદન કરવામાં આવે છે, આવી બધી મહેનત અને ઝીણવટભરી પ્રક્રિયા પછી વાચકોના હાથમાં આવતી પુસ્તિકા દરેક રીતે રોચક અને આકર્ષક બને એમાં શી નવાઈ ? અને હવે તો આ પુસ્તિકાઓની સંખ્યા ૩૫૦ સુધી પહોંચી ગઈ છે. સામાન્ય રીતે દર મહિને બે પુસ્તિકાઓ એટલે કે એક વર્ષમાં ચોવીસ જેટલી પુસ્તિકાઓનું પ્રકાશન થતું રહે એ ધોરણ જાળવવાનો પ્રયત્ન રહે છે. ગુજરાતી ભાષામાં સાહિત્યની સમીક્ષા કરવાની કડવી અને કપરી કામગીરી બજાવનાર સામયિકની ખામીને પૂરી કરવા માટે આ ટ્રસ્ટે દસેક વર્ષ પહેલાં ‘ગ્રંથ’ નામના હેતુલક્ષી માસિકનું પ્રકાશન કરવાની હામ બતાવી છે. આના સંપાદક તરીકેની અટપટી જવાબદારી પણ ભાઈ યશવંત દોશી સંભાળી રહ્યા છે. આ માટે એમને કેટલી બધી મહેનત કરવી પડતી હશે, એનો ખ્યાલ તો ‘ગ્રંથ'નો એકાદ અંક જોયા પછી જ આવી શકે. આ ‘ગ્રંથ' શ્રી યશવંતભાઈની સૂઝ, ધગશ અને સાહિત્યનિષ્ઠાની કીર્તિગાથા બની રહે એવું પ્રકાશન છે. સને ૧૯૬૨ની સાલમાં જ્યારે ચીને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું, તે વખતે આ ટ્રસ્ટ તરફથી ચીની રાજપુરુષોની વૃત્તિ અને પ્રવૃત્તિનો સામાન્ય પ્રજાજનોને ખ્યાલ આપી શકે એવી છ પુસ્તિકાઓ તે-તે વિષયના અભ્યાસી લેખકો પાસે લખાવીને પ્રગટ કરવામાં આવી હતી. આ રીતે ટ્રસ્ટે ખરે વખતે દેશની નોંધપાત્ર સેવા બજાવી હતી. ૫૩૧ અને વિદ્યાવિસ્તારના ક્ષેત્રે આ ટ્રસ્ટે બજાવેલી કામગીરી ઉપર સુવર્ણકળશ તો ચડાવ્યો આ પરિચય-પુસ્તિકાઓનો મરાઠી તથા રાષ્ટ્રભાષા હિંદીમાં પણ અનુવાદ પ્રગટ કરવાની કેટલાક વખત પહેલાં હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિએ. આ બંને ભાષામાં છ-છ પુસ્તિકાઓ તો પ્રગટ પણ થઈ ચૂકી છે. સાથે-સાથે અહીં એ વાત પણ નોંધવી ઘટે કે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલી પુસ્તિકાઓમાંથી કેટલીકની તો એક કરતાં વધુ આવૃત્તિ પ્રગટ કરવી પડી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy