SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૧૦ સર્વાંગસુંદર રૂપે અને પૂરી સફળતા સાથે પાર પડ્યું અને જનસમૂહને એક આદર્શ ચિત્રમય મહાવી૨-કથાની બહુમૂલી ભેટ મળી.. આ સ્વનામધન્ય ચિત્રકાર તે મુંબઈના ભાઈ શ્રી ગોકુલદાસભાઈ કાપડિયા અને આ ચિત્રસંપુટના પ્રેરક અને પ્રયોજક પ્રભાવશાળી, ભાવનાશીલ મુનિવર તે આચાર્ય શ્રી વિજ્યધર્મસૂરિજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી યશોવિજયજી. આ ચિત્રસંપુટના અનુસંધાનમાં એક બીજા ચિત્રકાર-મિત્રના નામનો પણ ઉલ્લેખ અહીં થવો ઘટે છે; તે છે આપણે ત્યાં રંગોળીના જીવંત ચિત્રોના નિપુણ આલેખનકાર તરીકે ખૂબ જાણીતા થયેલા ડભોઈ-નિવાસી શ્રી રમણીકભાઈ શાહ, આ સંગ્રહમાંનાં ૩૫ મુખ્ય ચિત્રો સિવાયનાં બધાં પ્રતીકાત્મક અને અન્ય સુશોભનો તેઓના હાથે થયાં છે. હવે આ ચિત્રસંપુટની કળાસામગ્રી તથા સાહિત્યસામગ્રીનું થોડુંક અવલોકન કરીએ. આ ચિત્રસંગ્રહની જન્મકથા તો ૩૪-૩૫ વર્ષ જેટલી જૂની છે. જોગાનુજોગ આ સર્જનનો જન્મ પણ ભગવાન મહાવીરનાં જીવન અને ધર્મપ્રરૂપણાથી પાવન થયેલ પ્રાચીન મગધ અર્થાત્ વર્તમાન બિહારની પુણ્યભૂમિમાં થયો હતો. સને ૧૯૪૦માં રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન બિહારમાં રામગઢ મુકામે ભરાયું હતું. એ અધિવેશનને ચિત્રોથી સુશોભિત બનાવવા માટે જે કળાકારોને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં, તેમાં આ ચિત્રસંપુટના સર્જક ગોકુલભાઈ કાપડિયાનો પણ સમાવેશ થતો હતો. તેમણે ત્યાં ભગવાન મહાવીરના ગૃહત્યાગનું, દીક્ષાકલ્યાણકનું એકાદ ચિત્ર બનાવ્યું અને જાણે જન્મે વૈષ્ણવ આ કલાકારના અંતરમાં ભગવાન્ મહાવી૨ અને બિહારની ધરતી એવાં વસી ગયાં, કે એમનું રોમ-રોમ ભગવાન્ મહાવીરના જીવન-પ્રસંગોને હૃદયસ્પર્શી રંગરેખાઓમાં ઉતારવા તલસી રહ્યું. મારાતારા-પણાના ભેદોને બાજુએ મૂકીને ગુણશોધક દૃષ્ટિથી કળાનુકૂળ કથાવસ્તુની કદર કરી જાણે એ જ સાચો કળાકાર. બિહારમાંથી મહાવીરકથાને ચિત્રાંકિત કરવાની પ્રેરણા લઈને શ્રી ગોકુલભાઈ મુંબઈ આવ્યા અને તેમણે મહાવીરકથાનાં ચિત્રો દોરવાનું તપ આદર્યું. ધી૨જ, ખંત અને ઉત્સાહથી તેઓ અનેક મુનિવરો અને વિદ્વાનોને મળીને વિષયની સામગ્રી એકત્રિત કરવાનું તપ, ૭-૮ વર્ષ સુધી પૂરી નિષ્ઠા, એકાગ્રતા અને લગનીથી કરતા રહ્યા. આવા ધીરજભર્યા અવિરત પુરુષાર્થને અંતે તેમણે ભગવાન્ મહાવીરના ચ્યવનકલ્યાણકથી આરંભીને દીક્ષાકલ્યાણક સુધીનાં નયનમનોહર, સર્વાંગસુંદ૨ ૧૫ ચિત્રો તૈયાર કર્યાં. પછી સવાલ એ ચિત્રોને છપાવવાના ખર્ચનો આવ્યો. શ્રી ગોકુળભાઈ નખ-શિખ કળાકાર જ છે. એટલે વ્યવહારદક્ષતા એમને ઉપાધિરૂપ લાગે એ સ્વાભાવિક છે. પૈસા માટે કોઈને કહેવાને બદલે તેમણે મિત્રો Jain Education International ૫૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy