SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૮ જિનમાર્ગનું અનુશીલના મહાભારત એ માનવસંસ્કૃતિના જૂનામાં જૂના સુબદ્ધ સાહિત્ય-પ્રબંધોમાંનો એક આશરે પચીસસો વર્ષ જેટલો પ્રાચીન ગ્રંથ છે. એક લાખ શ્લોકના આ મહાગ્રંથનો રશિયન ભાષામાં અનુવાદ કરવાની હિંમત ડૉ. બોરિસ પહેલાં કોઈએ કરી ન હતી. સ્મિનોંવ રાત્રિના વખતે આ મહાગ્રંથનું અધ્યયન કરતા હતા. એના તત્ત્વજ્ઞાનના ઊંડાણનો પોતાને ખ્યાલ આવી ગયા પછી એમણે એનું અનુવાદકામ શરૂ કરી દીધું. સને ૧૯૩૫માં તેઓ યુક્રેનથી તુર્કમાનિયાની રાજધાની અસ્કહાબાદ ગયા, ત્યારે એમણે એવી મજાક કરી કે હવે મારી અને ભારતની વચ્ચે કેવળ ઊંચા પર્વતો જ રહેલા છે. આ મજાકનો ભાવ કંઈક એવો હોઈ શકે કે મહાભારતના અધ્યયનને લીધે, પોતે ભારત અને એની સંસ્કૃતિને સારી રીતે પિછાણવાનો દાવો કરી શકે છે. મહાભારતના વિશેષ મહત્ત્વના ભાગના અનુવાદમાં લગભગ અરધી સદી જેટલો સમય વીતી ગયો. ડૉ. બોરિસ સ્મિનવે કરેલ મહાભારતના રશિયન અનુવાદનો પહેલો ગ્રંથ સને ૧૯૫૫માં બહાર પડ્યો હતો, તે પછી એના સાત ગ્રંથો પ્રગટ થયા હતા. નવાઈ ઉપજાવે એવી વાત તો એ છે કે એ વખતે ડૉ. સ્મિનવ આરોગ્યવિજ્ઞાન(મેડિકલ સાયન્સ)ના અધ્યાપક હતા અને જ્ઞાનતંતુઓને લગતાં દર્દો અને ઓપરેશનના વિષયનાં ઘણાં પુસ્તકો એમણે લખ્યાં હતાં. ડો. સ્મિોંવના આ દાખલા ઉપરથી એ જોઈ શકાય છે કે ગમે તે વિદ્યાશાખામાં નિપુણતા ધરાવનાર વ્યક્તિ પોતાની વિશેષ રુચિ, વિદ્યાસાધના અને ધ્યેયનિષ્ઠાના બળે તદ્દન જુદી વિદ્યાશાખામાં આદર્શ સિદ્ધિ કે સફળતા મેળવી શકે છે. આ ભાષાંતરનો મહાગ્રંથ સર્વનાશમાંથી કેવી રીતે બચી જવા પામ્યો એની કથા પણ રોમાંચક છે. સને ૧૯૪૮ના ઑક્ટોબરમાં અસ્કહાબાદ ધરતીકંપનું કેન્દ્ર બન્યું હતું; એમાં ડૉ. સ્મિનવનું મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું હતું, અને તેઓ કોઈક અગમ્ય રીતે જ એમાંથી બચી જવા પામ્યા હતા. દાક્તરી-વિદ્યાનો અભ્યાસ કરતા વોલોબ્યુવેવ નામના એક વિદ્યાર્થીએ એમને મકાનના ભંગારમાંથી બચાવી લીધા હતા. આ ભાઈ અત્યારે તુર્કમાનિયાની ઇસ્પિતાલમાં જ્ઞાનતંતુઓના સર્જન તરીકે કામ કરી રહ્યા છે. આ રીતે ડૉ. સ્મિનને મોતના મોમાંથી બચાવી લીધા પછી જ્યારે એ વિદ્યાર્થીએ જોયું કે તેઓ એ ભંગાર તરફ દોડી ગયા, ત્યારે એને ખૂબ આશ્ચર્ય લાગ્યું. પણ સદ્દભાગ્યે તેઓ પોતાની પ્રાણપ્યારી વસ્તુ સાથે સહી સલામત પાછા આવી ગયા; એ હતી મહાભારતના અનુવાદની ફાઇલો! એમણે તે એ વિદ્યાર્થીને સોંપી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy