SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૫ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષાઃ પ, ૬ પાંસઠ પાર્શ્વનામમાળા', (ગાથા ૩૨૧) અને (૩) કવિ પ્રેમાકૃત “વૃદ્ધ ચૈત્યવંદન', (ગાથા ૮) (રચનાસંવત્ આપ્યો નથી.) પણ આ ત્રણ કવિતાઓ આપવામાત્રથી આ પુસ્તક મહત્ત્વનું કે નોંધપાત્ર ઠરતું નથી. એની ખરી મહત્તા એના ઝીણવટભર્યા અને તલસ્પર્શી સંપાદનના કારણે છે. પરદેશના જે વિદ્વાનોએ જૈન સાહિત્યની સેવા બજાવી છે, તેમાં જર્મન વિદ્વાનોનું સ્થાન મોખરે છે. તેમણે જૈન સાહિત્યનું જે ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે, તે કોઈ પણ સાહિત્યના અભ્યાસીને માટે માર્ગદર્શક નીવડે એવું છે. આમ થવામાં વિષયના ઊંડામાં ઊંડા મૂળ સુધી પહોંચી જવાની તેમની શક્તિ અને બુદ્ધિ જ મુખ્ય કારણ છે. કુમારી સુભદ્રાદેવી પણ જર્મન જ છે. એટલે પ્રસ્તુત નાનાસરખા પુસ્તકમાં પણ જર્મન વિદ્વાનોની સંપાદનકળાનો આદર્શ બરાબર જોવા મળે છે. આપણા જે વિદ્યાપ્રેમીઓ જર્મન કે અંગ્રેજી ભાષાના પરિચયના અભાવના કારણે જર્મન વિદ્વાનોની આ આદર્શ સંપાદનકળાનો પરિચય ન સાધી શક્યા હોય, તેમને માટે આ પુસ્તક સંપાદનકળાના અભ્યાસની દૃષ્ટિએ પણ ખૂબ ઉપયોગી થઈ પડે એવું છે. મૂળકૃતિઓ તો માત્ર ર૬ પાનાં જેટલી હોવા છતાં તેમાં એ કૃતિઓને લગતી અનેક ઉપયોગી માહિતી આપીને જે રીતે એને સુસમૃદ્ધ કરવામાં આવી છે, તે જ એના સંપાદિકાની બહુશ્રુતતા અને ઊંડી વિદ્વત્તાની સાખ પૂરે છે. આ ગ્રંથમાં મૂળ કવિતાઓ ઉપરાંત માહિતીપૂર્ણ પ્રસ્તાવના, મૂળ કવિતાના વિષયને ફુટ કરતી અનેક ટિપ્પણીઓ, ઝીણવટપૂર્વક નોંધેલા તે-તે ગાથાવાર પાઠાંતરો અને ૩૨ પાનાંઓ રોકતી સ્થાનો અને બિંબોનાં નામોની પરિચયાત્મક અકારાદિ સૂચિ - આટલી બાબતો આપવામાં આવી છે. તેમાં ટિપ્પણીઓ અને સ્થાનો અને બિંબોનો પરિચય ખાસ ધ્યાન ખેંચે એવાં છે. ત્રણ રૂપિયાની કિંમતનું આ પુસ્તક અનેક માહિતી આપવા સાથે પ્રાચીન પુસ્તકનું સંપાદન કેટલી વિવિધતાભરી રીતે થઈ શકે છે એનો સુંદર નમૂનો પૂરો પાડે એવું છે. (તા. ૧૫-૧૯૫૨) (૬) એક સાહિત્યિક પુરુષાર્થની વીરગાથા (મહાભારતનો રશિયન અનુવાદ) મહાભારત' એ ભારતનો એક અદ્વિતીય અને વિશ્વવિખ્યાત મહાગ્રંથ છે. આ ગ્રંથની સતત વધતી રહેલી મહત્તા, ઉપયોગિતા અને લોકપ્રિયતા એ હકીકત ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy