SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ જિનમાર્ગનું અનુશીલન શ્રી જંબૂવિજયજીએ સંપાદિત કરેલ ‘દ્વાદશારે નયચક્રમૂ' નામે મહાન દાર્શનિક આકરગ્રંથના પહેલા ભાગનું પ્રકાશન સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્ધના શુભ હસ્તે થયું એ પ્રસંગ જૈનસંઘની શ્રુતભક્તિના અને જૈન શ્રમણોની શ્રુતઉપાસનાના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની રહે એવો છે. આ સંપાદન-કાર્યની વિશિષ્ટતાનો જૈનસંઘને તેમ જ જિજ્ઞાસુઓને થોડો પરિચય કરાવવા આ નોંધ લખીએ છીએ. વેરાન વન-વગડામાં રહેલા ભવ્ય છતાં ધ્વસ્ત દેવમંદિરના જીર્ણોદ્ધાર માટે કોઈક ભાવિક ભક્તની ભાવના જાગી ઊઠે એ માટે વર્ષો સુધી, દાયકાઓ સુધી રાહ જોવી પડે છે, અને કાળ પાકે ત્યારે જ એનો ઉદ્ધાર થાય છે, એવું જ કંઈક “નયચક્ર' મૂળ ગ્રંથનું થયું છે. દર્શનશાસ્ત્રના આ અપૂર્વ અને અભુત ગ્રંથને, એના ઉદ્ધારક માટે, હજાર વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી પ્રતીક્ષા કરતાં રહેવું પડ્યું. પણ જ્યારે એને ઉદ્ધારક મળ્યા ત્યારે બુદ્ધિ અને ભાવનાના એવા અસાધારણ સામર્થ્યવાળા મળ્યા કે એમણે એ લાંબી રાહનો બે-એક દસકા જેટલા ટૂંકા સમયમાં જ પૂરેપૂરો ખંગ વાળી દીધો ! આ ગ્રંથરત્નના આવા સમર્થ ઉદ્ધારક વિદ્વત્ન તે સ્વર્ગસ્થ મુનિવર્ય શ્રી ભુવનવિજયજીના અંતેવાસી (શિષ્ય-પુત્ર) મુનિવર્ય શ્રી જંબૂવિજયજી. નયચક્ર'ની ટીકાની મુનિશ્રી જંબૂવિજયજી-સંશોધિત-સંપાદિત આ આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં સ્વ. મુનિ શ્રી ચતુરવિજયજી (મુનિ શ્રી અમરવિજયજીના શિષ્ય) અને પંડિત શ્રી લાલચંદ ભગવાન ગાંધી દ્વારા સંપાદિત ચાર અર સુધીની ટીકા ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝના ૧૧૬મા ગ્રંથરૂપે પ્રગટ થઈ હતી. તેમ જ સ્વ. આચાર્ય વિજયલબ્ધિસૂરિજી દ્વારા સંપાદિત આ આખી ટીકા ચાર ભાગમાં સને ૧૯૪૮થી ૧૯૬૦ દરમિયાન પ્રગટ થઈ ચૂકી છે. આમ છતાં આ મહાનુ ટીકાગ્રંથનું, એની કઠિનતા, મહત્તા, ગુરુતા અને વિસ્તૃતતાને અનુરૂપ સંશોધન-સંપાદન થવું તો બાકી જ હતું. અને એ માટે સર્વદર્શનસ્પર્શી પારગામી વિદ્વત્તા અને અદમ્ય શ્રુતભક્તિની જરૂર હતી. મુનિશ્રી જંબૂવિજયજીના હાથે જ જાણે દાર્શનિક જગનું આવું શકવર્તી કાર્ય થવાનું નિર્માણ હતું. તેમણે એ નિર્માણને સાચું કરી બતાવવા માટે વિ.સં. ૨૦૦૨થી તે આજ સુધીના બે દાયકા જેટલા લાંબા સમય દરમિયાન અતિ એકાગ્રભાવે કેટલું ઉગ્ર આત્યંતર તપ કરવું પડ્યું હશે, એ તો તેઓ જ જાણે. પણ જૈનસંઘને અને ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસી વિશ્વને તો એમના પ્રતાપે એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ સુંદર, સુઘડ, સુવાચ્ય રૂપમાં સુલભ બની શક્યો છે. એ માટે એ મહામના મુનિવરનો ઉપકાર માનવા માટે સારામાં સારા શબ્દો પણ ઓછા પડે એમ છે. “સન્મતિતર્ક'નું સંપાદન કરતાં-કરતાં પંડિત શ્રી સુખલાલજીને “નયચક્ર'ની ટીકાનો (અલબત્ત, હસ્તલિખિત પુસ્તકરૂપે) આસ્વાદ માણવાનો જે અવસર મળેલો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy