SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ જિનમાર્ગનું અનુશીલન (૭) “જૈન-જર્નલ'ના સંપાદકશ્રીને અભિનંદન કેટલાંક વર્ષ પહેલાં કલકત્તામાં જૈન-ભવન' નામે એક સંસ્થા સ્થપાઈ છે. આ સંસ્થા જૈન વિદ્યા, જૈન સંસ્કૃતિને લગતી જુદાજુદા વિષયોની આધારભૂત માહિતી પ્રગટ કરવાની દિશામાં, નાના પ્રમાણમાં છતાં નક્કર રૂપમાં, કોઈ પણ વધુ પડતી જાહેરાતના મોહમાં ખેંચાયા વગર, શાંતપણે એવી ઉત્તમ કાર્યવાહી કરી રહી છે કે જેનવિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોની ચાહના અને પ્રશંસા મેળવી શકી છે. આ સંસ્થાએ પોતાની કાર્યવાહી નિયમિત, વ્યવસ્થિત અને રચનાત્મક રૂપમાં ચાલતી રહે અને એનું પરિણામ અવારનવાર જૈન વિદ્યાના વિદ્વાનો તથા જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ થતું રહે, તેમ જ જૈનવિદ્યાનાં જુદાંજુદાં અંગોના અભ્યાસી વિદ્વાનોની વિદ્યા અને શોધોનો લાભ જૈન સંસ્કૃતિના ચાહકો અને અભ્યાસીઓને મળતો રહે, એ માટે અંગ્રેજીમાં જેન-જર્નલ' (Jain-Journal) નામે વૈમાસિક શરૂ કર્યું છે. એના સંપાદક શ્રી ગણેશ લલવાણીજી છે. એનું વાર્ષિક લવાજમ ફક્ત રૂપિયા પાંચ છે. તેમાં ય ત્રણ વર્ષના ભેગા લવાજમના કેવળ બાર જ રૂપિયા લેવામાં આવે છે. એનું સરનામું આ YHUST 9 : Jain Bhavan, P-25, Kalakar Street, Calcutta-700007 આ ત્રૈમાસિકમાં ઊંચી જાતનો કાગળ વાપરવામાં આવે છે. એનું છાપકામ સ્વચ્છ, સુઘડ અને શુદ્ધ હોઈ ચિત્તને વશ કરી લે છે. ઉપરાંત એમાં ઊંચી જાતના આર્ટપેપર ઉપર છાપવામાં આવતી જૈન ઇતિહાસ, સાહિત્ય, પુરાતત્ત્વ અને કળાને લગતી પ્રાચીન કૃતિઓની એકરંગી તેમ જ ક્યારેક તો બહુરંગી છબીઓ પણ આપવામાં આવે છે. આ બધું જોતાં એમ જ કહેવું પડે, કે સાચે જ જૈન-જર્નલ' એ જૈન-વિદ્યાને લગતું એક આદર્શ રૈમાસિક છે; એણે જૈન-વિદ્યાના સંશોધનને લગતા સામયિકની ખોટ અમુક પ્રમાણમાં પૂરી છે. આ કીમતી સેવા અભિનંદનીય અને દાખલારૂપ છે. તે પણ આનાં આવાં સુંદર રૂપ-રંગ અને એમાં પ્રગટ થતી ઉત્તમ લેખસામગ્રી તથા ચિત્રસામગ્રી જોઈને સ્વાભાવિકપણે જ એવો સવાલ થાય છે, કે છાપકામ, કાગળ, બાઈડિંગ, બ્લોકો વગેરેના ભાવો દિવસે-દિવસે ખૂબ વધતા જતા હોવાથી જેન-ભવનને આ વૈમાસિક વાર્ષિક રૂપિયા પાંચ (ત્રણ વર્ષના રૂપિયા બાર) જેટલા ઓછા લવાજમમાં આપવાનું કેવી રીતે પરવડતું હશે ? આનો જવાબ એ લાગે છે, કે જેન-ભવનના સંચાલકો આ સૈમાસિક મારફત જૈનવિદ્યાની નોંધપાત્ર સેવા બજાવવાની પોતાની ભાવનાને સફળ બનાવવા સારી એવી આર્થિક નુકસાની વેઠતા હોવા જોઈએ. પણ આવી ઉત્તમ પ્રકારની સાહિત્ય-સેવા માટેની બધી જવાબદારી કેવળ આ સંસ્થાના સંચાલકો કે કલકત્તા-જૈનસંઘના અગ્રણીઓ જ ઉઠાવતા રહે અને અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy