SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ જિનમાર્ગનું અનુશીલન જૂનાગઢના સ્થાનકવાસી જૈનસંઘ તરફથી ચાલતી અર્ધમાગધી-પ્રચાર-સમિતિની પ્રવૃત્તિને અને અર્ધમાગધી ભાષા તથા સાહિત્યના અધ્યયનની અત્યારની પરિસ્થિતિને અનુલક્ષીને સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા મુખપત્ર જૈન-પ્રકાશ' સાપ્તાહિકે એના તા. ૧૫-૫-૧૯૭૧ના અંકમાં “અર્ધમાગધી' નામે એક વિસ્તૃત અગ્રલેખ લખ્યો છે. એમાં પ્રાકૃતના અધ્યાપકો તથા ધાર્મિક શિક્ષકો તૈયાર કરવાની જરૂરનો નિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે – શાળા-કોલેજોમાં અર્ધમાગધી ચાલુ કરાવતાં પહેલાં એ માટેનાં પાઠ્યપુસ્તકો, વ્યાકરણ, શબ્દકોશ, ગાઈડ વગેરે તૈયાર કરાવવાં પડશે. અર્ધમાગધીનું શાળાકોલેજોમાં શિક્ષણ આપી શકે તેવા શિક્ષકો પણ તૈયાર કરવા પડશે... “આપણી જૈનશાળાઓ, અર્ધમાગધીના વર્ગો કે શાળા-કોલેજોમાં અર્ધમાગધીનો અભ્યાસક્રમ ત્યારે જ સફળ થશે કે જ્યારે આ બધાના સંચાલન માટે શિક્ષકો, પ્રાધ્યાપકો તૈયાર થશે. ભારતભરમાં શહેરે-શહેર અને ગામડે-ગામડે જૈનસંઘો સંખ્યાબંધ જેનશાળાઓ ચલાવે છે, જેમાં પ્રતિવર્ષ લાખો રૂપિયાનું એકંદર ખર્ચ થાય છે. પરંતુ તેમ છતાં આપણી ભાવી પેઢીમાં ધર્મના સુદઢ સંસ્કારો પ્રેરી શકાયા નથી. વિદ્યાર્થીઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકે એવા અધ્યાપકો આપણે તૈયાર કર્યા નથી. કૂવામાં ન હોય તો હવાડામાં ક્યાંથી આવી શકે ? સૌથી પ્રથમ આપણી શિક્ષણસંસ્થાઓએ એકાદ બે ટ્રેનિંગ-કૉલેજો શરૂ કરી પ્રાધ્યાપક-પ્રાધ્યાપિકાઓ તૈયાર કરવાં પડશે, કે જેઓ પારંગત બની પાઠશાળા, નાળાઓ, શ્રાવિકાશાળાઓ તેમ જ શાળાકૉલેજના અર્ધમાગધી અભ્યાસનું શિક્ષણ પદ્ધતિસર આપી શકે.” એક બાજુ પ્રાકૃતના વિદ્વાનોને યોગ્ય નોકરી નહીં મળતી હોવાની ફરિયાદ અને બીજી બાજુ પાકતના અધ્યાપકો નહીં મળતા હોવાની ફરિયાદ – એકબીજાથી વિરોધી દેખાતી આ બંને ફરિયાદોમાં તથ્ય કેવી રીતે હોઈ શકે એવા ભ્રમમાં પડવાની જરૂર નથી. જે વ્યક્તિએ પ્રાકૃતના વિષયમાં એમ.એ. કે પીએચ.ડી. જેટલો અભ્યાસ કર્યો હોય, તે સામાન્ય પગારથી સામાન્ય અભ્યાસ કરાવવા તૈયાર ન થાય એ સમજી શકાય એવી બાબત છે. એટલે એની નોકરી નહીં મળવાની ફરિયાદ સાચી ઠરે છે. બીજી બાજુ આપણી ધર્મશિક્ષણની અને ખાસ કરીને ધર્મશાસ્ત્રનાં શિક્ષણ, સંશોધન અને પ્રકાશનનું કામ કરતી સંસ્થાઓ યોગ્ય વિદ્વાનને એની યોગ્યતા મુજબ પગાર આપતી નથી, તેથી શિક્ષકો કે વિદ્વાનોની અછત અનુભવે છે. બાકી જે સંસ્થાઓ પૂરતું વેતન આપે છે, એમને આવા વિદ્વાનોની તંગીની ફરિયાદ ભાગ્યે જ કરવી પડે છે. એટલે આ બે વિરોધી લાગતી ફરિયાદો વચ્ચે મેળ બેસારવાનો ઉપાય એ જ છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય વેતન મળી રહે અને તૈયાર થનાર દરેક વિદ્વાનને યોગ્ય નોકરી મળી રહે – એવી પાયાની કાયમી વ્યવસ્થા કરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy