SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૩ આપણે પોતે આવાં અધ્યયન-કેન્દ્રો ઊભાં કરી શકીએ એ સોના જેવું; પણ આ કામની જવાબદારી બહુ મોટી છે, અને એવા કેન્દ્રને અત્યારની ઢબના ઊંડા અને વ્યાપક અધ્યયન-અધ્યાપન માટે સર્વાંગસંપૂર્ણ બનાવવું એ કામ ઘણું મુશ્કેલ અને ખર્ચાળ છે, આમ છતાં આવી સંસ્થાની સ્થાપનાનો વિચાર કરવામાં આવે તો એ કામ ન જ થઈ શકે એવું તો નથી જ. એનો વિચાર લાગતાવળગતાઓ ગંભી૨૫ણે કરે તો એ ઇષ્ટ છે. આમ છતાં યુનિવર્સિટીઓમાં કે એવી વિશિષ્ટ પ્રતિષ્ઠા ધરાવતી અને યુનિવર્સિટી સાથે સંકળાયેલી વિદ્યાસંસ્થામાં જૈન ચૅર સ્થાપવી એ કામ જેટલું ગૌરવભર્યું અને સર્વમાન્ય બને છે, એટલું ગૌરવ સંઘની કે સમાજની સંસ્થાને ભાગ્યે જ મળી શકે એમ અમને લાગે છે. વિદ્યાવૃદ્ધિની દૃષ્ટિએ યુનિવર્સિટીનું જે મહત્ત્વ અને ગૌરવ છે, એટલું સામાન્ય વિદ્યા-સંસ્થાઓનું ભાગ્યે જ હોઈ શકે. અલબત્ત, અત્યારે કેટલીક યુનિવર્સિટીઓમાં અનેક બખેડા ઊભા થઈ જવાથી એનું ગૌરવ ઝંખવાયું છે; પણ એ તો કેવળ તાત્કાલિક અને અલ્પજીવી ઝંખવાટ છે. છેવટે તો યુનિવર્સિટીનું સ્થાન અને ગૌરવ સનાતન છે. ૩૨૭ એટલે જૈન સંસ્કૃતિના અધ્યયન માટે જુદીજુદી યુનિવર્સિટીઓમાં આપણે જેટલી વધુ પીઠો (ચૅર) સ્થાપી શકીએ, એટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિનું ગૌરવ વધે અને એના વિવિધ વિષયના અધ્યયનને વેગ મળે. તેથી, અમારા મતે તો, આ દિશામાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાનો સમય ઘણાં વર્ષ પહેલાં પાકી ગયો છે. એટલે આમાં હવે જેટલો વધુ વિલંબ થાય, તેટલે અંશે જૈન સંસ્કૃતિના અભ્યાસ અને વિકાસની સોનેરી તક ગૂંચવાવાની સંભાવના વધે છે. અત્યાર સુધીમાં આપણે, આપણી કૉન્ફરન્સના સત્પ્રયત્નથી, માત્ર બનારસમાં જ એક જૈન પીઠ (ચૅ૨) સ્થાપી શકયા છીએ એ બીના કંઈક ખેદ ઉપજાવે છે. હવે તો ગુજરાતની ત્રણ યુનિવર્સિટીઓમાં એ સ્થપાય એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. યુનિવર્સિટી (વિશ્વ-વિદ્યાલય) એટલે વિશ્વની વિદ્યાઓનું અધ્યયન-કેન્દ્ર; એમાં જૈન સંસ્કૃતિનાં સર્વાંગી અધ્યયનની જોગવાઈ ન હોય એ આપણી શરમ ગણાય. (તા. ૧૯-૮-૧૯૬ ૧) જૈન ચૅર સંબંધમાં સકારોએ અને યુનિવર્સિટીઓએ કંઈ ક૨વા જેવું છે કે કેમ એ અંગે પણ વિચારીએ; જોકે અમારી આ વાત એટલે દૂર – મધ્યસ્થ-કે પ્રાદેશિક સરકારના તેમ જ યુનિવર્સિટીઓના પદાધિકારીઓના કાન સુધી – પહોંચશે જ એવી ખાતરી ઓછી છે; આમ છતાં કોઈ પણ પ્રશ્નની અણીશુદ્ધ વિચારણા એળે જતી નથી એ દૃષ્ટિએ અમે આ લખીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy